ત્રણ વાનર
ત્રણ વાનર
ત્રણ વાનર એ આ મહામારીનાં પ્રતિક છે,
એક કહે ઘરમાં રહો, સ્વસ્થ રહો.. મોં પર માસ્ક પહેરો..
આ ત્રણેય વાનર સાચી શીખ આપે માનવજાત ને,
બીજો કહે આંખ ખોલીને કુદરતને ઓળખો.
આ ત્રણેય વાનર સદીઓથી સમજાવે નીતનવી વાતો,
ત્રીજો વાનર કહે ખોટી વાતો સાંભળી અફવા ના ફેલાવો.
આ ત્રણેય વાનરો તો કેવાં છે સમજદાર,
ત્રણેય એક સાથે બોલ્યા દૂરી જાળવો બનો સમજદાર.
આ ત્રણેય વાનરો સમજાવે વારંવાર,
સાવચેતી અને સલામતીથી જીતો આ મહામારી.
