તિરંગો
તિરંગો
તિરંગો
આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આતુરતા છે,
હરઘર તિરંગા લહેરાય એ બુમાબુમની ભરપુરતા છે.
કોઈ પુછશે જરા જઈને એ ધ્વજને એની મરજી શુ?
દરેક સાલ થોડી વાર ફરકવાની એનેય ક્ષુલભતા છે.
ક્યારેક લપેટાય વીર શહીદ પર ક્યારેક રસ્તે રઝડતાં,
ક્ષણો અસહ્ય પીડામા એ નિ:શબ્દ રહી સળગતા છે.
શૌર્ય તણુ તિરંગાનુ ઉચ્ચ સ્થાન બિરાજેલ ખરુજ ,
બેરોજગારી,ભ્રષ્ટાચાર રાક્ષસ સામે કેમ ઝુકવતા છે.
થોડી ગરીમા જળવાય તોજ તિરંગો લહેરતો રાખવો,
સાંજ પડે તમાશબીન સમ એ તિરંગાને શરમાવતા છે.
- નિધી નિહન - જામનગર
