સ્વ. બિપિન રાવતની શ્રદ્ધાંજલિ
સ્વ. બિપિન રાવતની શ્રદ્ધાંજલિ
દેશભક્તિથી છલકતી પેઢી-દર-પેઢીના સાચા વારસદાર રહ્યા
સ્વ. બિપિન રાવત, ‘શહાદત’ના ઇતિહાસના શણગાર થયા,
‘મારા રસ્તે અથવા કોઈ રસ્તો નથી’ એ હતો ચીનનો હુંકાર
એવા હુંકાર ને રસ્તો દેખાડી દીધો એવા તેજતર્રાર તકેદાર થયા,
ઘરમાં ઘુસીને મારી આવવું દુશ્મનને, એવો હતો એમનો મિજાજ
મ્યાનમાર અને પીઓકે સર્જીકલ સ્ટ્રાઇકના એ જાંબાઝ સૂત્રધાર રહ્યા,
સેનાનું આધુનિકરણ, એકીકૃત કમાંડર થિયેટર અને આત્મનિર્ભર રક્ષાતંત્ર
આર્મી, એરફોર્સ અને નેવીની સંપદાના એ સાચા અર્થમાં સરદાર થયા,
એમનો દેશપ્રેમ અને દેશ માટે સમર્પિતતા છે શહાદતને સમકક્ષ
આ સપૂતના મૃત્યુ પર પુરા દેશવાસીઓના આંસુ અંદરખાને ચોધાર વહ્યા.