શાંત સરોવર
શાંત સરોવર
કોરું મન છે એ નિર્દોષતાની નિશાની,
સ્થિતિ આ એકવાર બધાની હોવાની,
આવ્યા ત્યારે મન હતું સાવ કોરું કટ,
ન ઓળખાણ કે સમજણની ઝંઝટ,
પછી તો એના પર રંગો ચડતા ગયા,
હલકા હતાં તે અચાનક ભારી થયા,
કાંઈ સાચા ખોટા ચિત્રો દોરાતાં ગયા,
શાંત સરોવરના જળ ડહોળાતાં ગયા.
