નવોદિતો
નવોદિતો
કવિતા ગઝલો ફક્ત ન છંદોનું વિજ્ઞાન હોય છે,
એતો માનવ લાગણીનું થોડું અનુસંધાન હોય છે.
આવે છે નવોદિતો ! હું કવિ ગઝલકાર, હું કવિ ગઝલકાર,
પૂછે કોઈ વરિષ્ઠ ગઝલ શું ? ન તો એના પાસ જ્ઞાન હોય છે.
હા, શોર્ટ એન્ડ સ્વીટમાં કહે છે હું મહારત કેવી ધરાવું !
ક્યાં જાણે છે એ ગુજરાતી સાહિત્યનું શું અપમાન હોય છે.
કલમ નહીં તો અભિમાન લઈને સ્વાભિમાનને શોધશે !
વિતે થોડો સમય સૌ સમક્ષ ગુમાવેલું સન્માન હોય છે.
બોલ્યા કરે છે ! હું કવિ, હું કવિ, હું લેખક, હું લેખક એમ !
વખત આવે ત્યાં સૌના મનમાં અભિમાનની ઓળખાણ હોય છે.