નામ ગુણ નારાયણનું શ્રી હરિ
નામ ગુણ નારાયણનું શ્રી હરિ
નામ ગુણ નારાયણનું, નિત્ય જે સ્મરણ કરે,
હરિનું ભજન ગાતા, ધ્યાન હરિનું કર્યા કરે,
આનંદ, ઉત્સાહ જીવનમાં, એવો મળ્યા કરે,
જાણે ઈશ્વર નજીક, વૈકુંઠ સુખ પામ્યા કરે,
નામ અનેક હરિના, રામ કહો કે કૃષ્ણ કહો,
મનને સુખ આપતું, આત્માનું કલ્યાણ કરે.