STORYMIRROR

Nilesh Bagthriya

Drama

3  

Nilesh Bagthriya

Drama

માયુસ માનવ

માયુસ માનવ

1 min
417


ચિત્ત જો આ ચકડોળે છે,

પામીને પણ મન તો દોડે છે.


નિરાંત વળે તો કેવી રીતે?

ઇચ્છાઓ તો હજી મેળે છે.


અઢળક છે જો આમ તો હવે,

તોય આ ખાલીપો તો ભેળે છે.


પળાતા નથી આ જગે ક્યાંય,

છતાં વચનો હર મુખે વેણે છે.


સુખી દેખાતા આ જ લોકોને,

ગણવા દુઃખો આંગળી વેઢે છે.


શાંત ચિત્તે સમાધાન અંદર હોય,

માયુસ માનવ તો એની મેળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama