માણસનું સગપણ
માણસનું સગપણ
માણસને માણસનું સગપણ રહે,
જીવને પછી ચોક્કસ ગળપણ રહે.
એકતા અતૂટ રહેજ આ દેશની અવિરત,
હર નાગરિકને ભાઇ ભાઇનું વળગણ રહે.
મોટા થયા પછી પણ માસૂમિયત મળે,
હર હૈયે ખૂણે થોડું જો બચપણ રહે.
સમાધન હમેંશા અંદર ઉતરી શોધાય,
પછી થોડું આ જીવને અડચણ રહે ?
ને, સમજે બાળકને યોગ્ય રીતે માવતર,
પછી જ તો આ પૂજનીય વડપણ રહે.