માનવીની સમસ્યા
માનવીની સમસ્યા
મન ઈશ્ચરે સૌને આપ્યું છે,
પણ વિચારણા સૌની અલગ છે;
માનવ ખરાબ જ વિચાર્યા કરે તો,
તેમાં મનનો શું દોષ છે ?
આંખ ઈશ્ચરે સોને આપી છે,
પણ જોવાની ટેવ સૌની અલગ છે;
માનવની નજર જ ખરાબ હોય તો,
તેમાં આંખનો શુ દોષ છે ?
કાન ઈશ્ચરે સૌને આપ્યા છે,
પણ સાંભળવાની રીત સૌની અલગ છે;
માનવીને બુરાઈ જ સાંભળવી હોય તો,
તેમાં કાનનો શુ દોષ છે ?
જીભ ઈશ્ચરે સોને આપી છે,
પણ બોલવાની આદત સૌની અલગ છે;
માનવીની ભાષા જ કડવી હોય તો,
તેમાં જીભનો શુ દોષ છે ?
હૈયું ઈશ્ચરે સૌને આપ્યું છે,
પણ હૈયાની લાગણી સૌની અલગ છે;
માનવીનું હૈયું જ પથ્થર જેવું હોય તો,
તેમાં હૈયાનો શુ દોષ છે ?
હાથ ઈશ્ચરે સોને આપ્યા છે,
પણ કર્મો કરવાની ઈચ્છા સોની અલગ છે;
માનવી બુરા કર્મો જ કરતો હોય તો,
તેમાં હાથ નો શું દોષ છે ?
પગ ઈશ્ચરે સૌને આપ્યા છે,
પણ ચાલવાના રસ્તા સૌના અલગ છે;
માનવીને ખોટા રસ્તે જ ચાલવું હોય તો,
તેમાં પગનો શું દોષ છે ?
