કહી દો...
કહી દો...
કહી દો આ વહેતા સમિરને કે,
તે બહું સુસવાટા ન કર્યા કરે,
હું મારા પગેથી નહીં પણ ઉમંગથી જીવનની ઉડાન કરૂં છુ.
કહી દો આ પ્રપંચી માનવીઓને કે,
તેઓ શતરંજની ચાલ ન ચાલ્યા કરે,
હું પ્રપંચથી નહીં પણ માનવ સેવાથી જીવન ઉજાળું છું.
કહી દો આ નફરત કરનારાઓને કે,
તેઓ નફરતની આગ ન ફેલાવ્યા કરે,
હું નફરતથી નહીં પણ પ્રેમથી સૌને જીવનમાં જીતુ છું.
કહી દો આ ઝગડાખોર દુનિયાને કે,
તેઓ વાતાવરણ અશાંત ન બનાવ્યા કરે,
હું ઝગડાથી નહીં પણ "મુરલી" ની ધુનથી શાંતિ ફેલાવું છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)