જીવનની પરીક્ષા
જીવનની પરીક્ષા
જીવનમાં સદવિચારોની ધારદાર કલમથી,
જીવનની પરીક્ષાના પેપરો છે લખવાના !
દુઃખના પેપરમાં કંઈ જ સમજાય નહિં,
તો સાથીદારને થોડું વહેંચી દેવું,
ત્યારે જીવનમાં સાચો જવાબ મળે છે,
સો ઓછા એક,
ઘણાં દુઃખ, દુઃખની શૂન્ય થાય
વાત વહેંચવી બરાબર,
દુઃખ તો દુઃખ રહેતું જ નથી
સુખનું પેપર પણ લાગે અઘરું,
તો સાથીદારને બનાવવું સહભાગી,
ત્યારે જીવનમાં સાચો જવાબ મળે છે,
એક વત્તા એક અગિયાર થાય
જીવનમાં સદવિચારોની ધારદાર કલમથી ,
જીવનના પેપરો છે લખવાના !
એવા ઘણાં પેપરો છે લખવાના,
આશા-નિરાશા, ગતિ-પ્રગતિ,
અજ્ઞાન-જ્ઞાન,ક્રોધ-પ્રસન્નતા
એમાં પણ સાથીદાર વિના પેપર લખાઈ નહિં.
અને ત્યારે કોઈ સાથીદાર જો ન હોય આપણી સાથે,
તો કોણ બને સાથીદાર ? કોણ માર્ગદર્શન આપે ?
ત્યારે જીવનમાં સાચો જવાબ મેળવી શકાય,
સદવિચારની ધારદાર કલમથી,
કર્મના સાક્ષી, ઉત્સાહ આપનાર,
મદદ માટે તૈયાર, કર્મના ભાગીદાર બને,
એવા સાથીદાર છે ઈશ્વર આપણા !
જો હોય ઈશવિચાર સંગાથે,
તો બધા જીવનની પરીક્ષાના પેપર લખાઈ સરળતાથી,
પરિણામે જીવનમાં મળે સફળતાની એવી નિશાની,
જે કહેવાય 'જીવનમાધુર્ય'ની ટ્રોફી !
