ઈશ્વર નથી જડતા
ઈશ્વર નથી જડતા
ઈબાદત કરનારને ખુદા નથી મળતા !
પ્રાર્થના કરનારને ઈશ્વર નથી જડતા !
મનમાં હોય છે કેટલા ખરાબ વિચારો
પણ સાચું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા,
હા..કક્કાથી કરે છે એ શરૂઆત
પણ અંતે હિન ભાવનામાં જ આથડતા,
સ્વની ઓળખ ક્યાંથી મળે એમને
સ્વની ઓળખ માટે પ્રયત્ન નથી કરતા,
ઈબાદત કરનારને ખુદા નથી મળતા !
પ્રાર્થના કરનારને ઈશ્વર નથી જડતા !
