હરિમંદિર
હરિમંદિર
જ્યાં માનવતાના વિચારો,
હશે હરિ એ મંદિર તારું.
દીનહીનને જ્યાં આવકારો,
હશે હરિ એ મંદિર તારું.
નહિ કૂડ કપટ જેનાં હૈયે,
જીવનમાં હોય સદાચારો,
વસે છે ઇશ ત્યાં એકધારો,
હશે હરિ એ મંદિર તારું.
છલકે સ્નેહ જેનાં નયનમાંને,
પરા વાણીના ઉચ્ચારો,
સોપાન માનવતાનાં ચડનારો,
હશે હરિ એ મંદિર તારું.
જનેજનમાં જે જનાર્દન પરખે,
એમાં ઇશ અણસારો,
સદા સત્યથી જેને હો પનારો,
હશે હરિ એ મંદિર તારું.
રક્તદાન, ચક્ષુદાનમાં રહે,
અગ્રેસર હંમેશાં જે થનારો,
વૃક્ષમાં વિભુને હો પરખનારો,
હશે હરિ એ મંદિર તારું.
