ગુરુ દૂર કરજો મારાં મન વિકાર
ગુરુ દૂર કરજો મારાં મન વિકાર
ગુરુ દૂર કરજો મારાં મન વિકાર,
ગુરુ દૂર કરજો ને મારા કુવિચાર,
કૃપા કરો સાકાર કરું હું સદાચાર
જીવને ન આચરુ કોઈ અનાચાર,
લીધો જીવને જે નિર્ણય એકવાર
પૂર્ણ કરવા કરું જીવન ન્યોછાવર,
દેજો ભક્તિની શક્તિ હે ગુરુ દેવ
આંધી-તોફાનમાં રહું અડગ ટટ્ટાર,
કાન્તાસુતના ગુરુ, છો તમે સમર્થ
તો હૈયે હામ ભરજો તમે ભરપૂર.