ગુલાબી છે શુદ્ધતા
ગુલાબી છે શુદ્ધતા
પૂજા મહાગૌરીની આઠમા દિવસે થાય
નવરાત્રીનો મહિમા સૌને જાણ થાય,
પૂજા અર્ચના માતાજીની હૃદયપૂર્વક થાય
માનવનું મન પ્રાર્થના દ્વારા શાંત થઈ જાય,
રંગ ગુલાબી સૌને ગમે
શરમાઈ જાય તો ગાલ ગુલાબી બને,
શાંતિનું રૂપ છે ગુલાબી રંગ
જ્ઞાનનું પ્રતિક છે ગુલાબી રંગ,
પ્રેમ સુંદરતાનું પ્રતીક ગુલાબી રંગ
ગુલાબી ના હોય, પણ ગમે ગુલાબી રંગ.