ગોવિંદ
ગોવિંદ
બાળમાનસ કેવો હોય છે ! અજીબ હોય છે એની પણ એક બાળ હઠ હોય છે ! નાની મીરા બાળપણમાં જ એક લગ્ન જોઈને એટલે બાળકીની હઠ કે મારા લગ્ન જ કરો વરરાજા હારે મારે પણ સાસરે જવું છે.એની સામે મા એ પકડાયેલી મુરલીધરની મૂર્તિ ,આજ તારો પતિ પરમેશ્વર આની હારે તારા લગ્ન થશે મૂર્તિ પાસે રાખી રાત-દિવસ સપનામાં રાચવા લાગી ...નાની અમથી મીરા કૃષ્ણ ને તન મન ધનથી પોતાના પતિ માનવા લાગી અને સપનામાં રાચવા લાગી, હરિ મારા તારણહાર. . .
મીરા નાચે છે તો નટવર આગળ, મીરા ગુણ ગાય છે... તો ગિરિધરના... આંખ બંધ કરીને ઉઘાડે તો જશોદાના જાયા ને જુએ છે, ઝેરને અમૃતનો કટોરોનું સર્જન કરનારો એક જ છે આ નટવરલાલ નટખટ નંદન કિશોર. .
પ્રસાદ અને માધુર્યનો ગુણ છે પ્રિય મારો નંદકિશોર.
હું એની ગોપી રસિયા મારા તારા સંગ રાસ રમવા વલખું છું.