ગાંધીમાર્ગે
ગાંધીમાર્ગે
1 min
312
જેનો ઘાટ ઘડ્યો’તો ઘડનારે,
રાજના કાજ તમામ કીધા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ,
સત્ય અહિંસાના પાઠ દીધા.
વિવેક, વિનય અને શિસ્ત ભૂલેલા,
લાંચ, રૂશવત ભ્રષ્ટાચારમાં ભળ્યા.
કોમી હિંસા તાંડવ સળગે ચોમેર,
સાચા સુધારક આજ ના મળ્યા.
રાજઘાટ પાર જઈ માત્ર આંસુ સાર્યા,
ગાંધીમાર્ગે પાછા કોઈ ના ફર્યા.