એકાદશમ અમૃત બિંદુ
એકાદશમ અમૃત બિંદુ


રાવણનું ચિંતન અને સીતાનું હરણ,
માગ્યું તે હરણ હતું,
કર્યું તે હરણ હતું,
ધર્મે એ અપહરણ હતું,
નકરું તેનું ગાંડપણ હતું,
જે તેના મરણનું કારણ હતું,
જેને રામનામનું શરણ હતું,
હૈયે હર પળ રટણ હતું,
આંખે નીતર્યું ઝરણ હતું,
તેને રામબાણનું ધારણ હતું,
આ બધાનું તેને સ્મરણ હતું,
પણ
રામબાણ ખાઈ તેને અમર થવું હતું,
માટે
સીતા હરણ કર્યું હતું.