ભૂલ કદિ ના કરીએ
ભૂલ કદિ ના કરીએ
અમે ચારણ, ભૂલ કદી ના કરીએ,
કર્મ સંજોગે જો થાય તો
પુનઃ નિજ આચારને વરીએ,
અમે ચારણ ભૂલો કદી ના કરીએ,
અકળ ગતિ કરતારની
ના એથી અળગા રહીએ,
સાત ભવની ખતા ભોગવી,
જીવતર ઉજવળ કરીએ,
અમે ચારણ ભૂલો કદી ના કરીએ,
ભૂત, ભાવિના લેખણ લલાટે,
એને હરખે હરખે ભોગવીએ,
પરંપરાગત પથના અમો પંથી,
સૌને રાહ રુડી સૂચવીએ,
અમે ચારણ ભૂલો કદી ના કરીએ,