અતિરેક
અતિરેક
અતિરેક મોહમાયાનો થાય તો શું કરવું ?
પહેલા તો પોતાના અંતરાત્માને પૂછવું,
વધતી જ જશે દિવસે દિવસે ઈચ્છાઓ,
અઘરું છે બહુ આ ચંચળ મનને બાંધવું,
થઈ જાય જીવનમાં કયારેક કોઈ ભૂલ !
ભૂલ સુધારીને તુરંત ત્યાંથી પાછા વળવું,
માનવમન મરકટ જેવું છે, વારે વારે ભૂલે,
ભૂલોની પરંપરા ન સર્જાય એ રીતે ફરવું,
કેમ કરીને તોડવા આ સંસારના બંધનો ?
સૌથી પહેલાં તો ખુદથી ખુદને મળવું.