અંતરદ્વંદ
અંતરદ્વંદ
જીવન એક કુરુક્ષેત્ર, લાગણીઓ રોજ હણાય છે,
તું સમજે કે હું સમજું?સમજણ રોજ મપાય છે,
બધીય ચાલબાજી માન-સન્માનને અસ્તિત્વ માટે,
ચોપાટ પર રોજ એક દ્રોપદીની લાજ લૂંટાય છે,
હતી નિયતિ રોજ પાંચમાં વહેંચાવાની ને વહેંચવાની,
શું એટલેજ અર્જુનથી માછલીની આંખ વીંધાય છે ?
અગ્નિજન્માં હતી એ પવિત્ર યુગ પરિવર્તન કરનારી,
દુ:શાસન ભરી દુનિયામાં ચિર આજે પણ ખેંચાય છે,
ચિરના તારથી બંધને બંધાયા ખુદ ગોવિંદ રક્ષા કાજે,
અંદર વસેલા શ્રી કૃષ્ણને આહવાન રોજ અપાય છે.