અજનબી સાથે રહે છે
અજનબી સાથે રહે છે
જ્યારે બધુ જ ખર્ચાય જાય છે;
ત્યારે માત્ર શ્રધ્ધા સાથે રહે છે.
જ્યારે આશાના કિરણ છુટી જાય છે;
ત્યારે દોસ્તોનો વિશ્વાસ સાથે રહે છે.
જ્યારે સૂરજ આથમી જાય છે;
ત્યારે ચાંદની સાથે રહે છે.
જ્યારે સમુદ્રમા તૂફાન સર્જાય છે;
ત્યારે ઇશ્વરનો સાથ સાથે રહે છે.
જ્યારે પોતાના તરછોડી જાય છે;
ત્યારે કોઇ અજનબી સાથે રહે છે.
જ્યારે વિશ્વાસના બન્ધન છુટી જાય છે;
ત્યારે હદયનો ધબકાર સાથે રહે છે.
જ્યારે બધા જ પાસા ઉલ્ટા પડી જાય છે;
ત્યારે સર્જનહાર બાજી પલ્ટી સાથે રહે છે.
