STORYMIRROR

હર્ષદ અશોડીયા

Classics Inspirational Children

4  

હર્ષદ અશોડીયા

Classics Inspirational Children

આળસુ સજ્જન

આળસુ સજ્જન

3 mins
372

આળસુ સજ્જન

आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:।

नास्त्युद्यमसमो बन्धुः कृत्वा यं नावसीदति।।

મનુષ્યના શરીરમાં રહેતી આળસ તેમનો સૌથી મોટો દુશ્મન છે. પુરુષાર્થ જેવો બીજો કોઈ મિત્ર નથી, કારણ કે પુરુષાર્થ કરનાર ક્યારેય દુઃખી થતો નથી.

ગામમાં એક સજ્જન પરિવાર સાથે રહેતો હતો. તેની પાસે પાણીવાળી ઉપજાઉ ફળદ્રુપ જમીન હતી. સજ્જનની નબળાઈ એ હતી કે તેના શરીરને આરામ કરવાની આદત પડી ગઈ હતી. તે પોતાની તાકાત પર કોઈ કાર્ય પૂર્ણ કરવા માંગતો ન હતો. જ્યારે પણ સજ્જનની પત્ની તેને કશુક કામ કરવા કહેતી તો તેને પણ ના પાડી દેતો. તેની પત્નીને આ ધણીની આદત પર ખૂબ જ દુઃખ થતું હતું. આળસુ વ્યક્તિને વિદ્યા મળતી નથી, વિદ્યાહીનને ધન મળતું નથી, ધનહીનને મિત્ર મળતાં નથી. પણ આને કોણ સમજાવે ?

એકવાર એક સાધુનું સજ્જનના ઘેર ઋષિનું આગમન થયું. બ્રાહ્મણે તેની સારી સેવા કરી. આ સેવાથી પ્રસન્ન થઈને સાધુએ સજ્જનને કહ્યું - “વત્સ. હું તમારી સેવાથી ખૂબ જ પ્રસન્ન થયો છું, કંઈક વરદાન માગો. બ્રાહ્મણે સાધુને કહ્યું- 'હે ઋષિ, જો તમે મને વરદાન આપવા માંગતા હો, તો કૃપા કરીને મને કંઈક આપો, જેના કારણે મારે કોઈ કામ કરવાની જરૂર નથી. હું માત્ર તેને કહું અને તે મને ચીંધેલુ કાર્ય પૂર્ણ કરી આપે.

ઋષિએ તેમની વિનંતી મુજબ સજ્જનને એક જિન અર્પણ કર્યું. આ જીનીની ખાસિયત એ હતી કે તેને આખો સમય કોઈને કોઈ કામ આપવાનું જો તે નવરો રહે તો તેના માલિક ને જ ખાઈ જાય.

સજ્જન રાજી થયો અને બોલ્યો – ‘હે ઋષિ ! મારી પાસે ઘણું કામ છે જેના કારણે મને હવે આરામ કરવાની તક મળી.’ ચિંતા કરશો નહીં.’ ઋષીએ કહ્યું.

સજ્જનને જીનને ભેટ આપી ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીન સજ્જન પાસે કામની માંગણી કરે અને ધમકી પણ આપે કે જો કામ તેને નહિ આપે તો તે તેને ખાઈ જશે. બ્રાહ્મણે પ્રથમ જીનને ખેતરમાં પાણી આપવાનો આદેશ આપ્યો. આ કામ ખૂબ જ ઝડપથી કર્યા પછી, જીની ફરીથી સજ્જન પાસે કામ માંગવા આવ્યો. આના પર બ્રાહ્મણે કહ્યું- ‘હવે તમે આરામ કરો’ કોઈપણ કાર્ય યાદ આવતાં જ તમને જાણ કરવામાં આવશે.' જીને કહ્યું- "ના, મારે કામ જોઈએ છે, નહીં તો હું તને ખાઈ જઈશ." સજ્જન કઈ ને કઈ કામ શોધી આપવા લાગ્યો. હવે વારંવારની ધમકીઓથી તે ડરી ગયો હતો. આ વખતે તેણે ખેતર ખેડવાનું કામ જીનીને સોંપ્યું અને વિચાર્યું કે તે તેને આખી રાત લેશે. પણ ખેતર ખેડવાનું કામ કર્યા પછી તરત જ જીની ફરી કામ માંગવા આવ્યો. આ વખતે સજ્જન ખૂબ જ ડર્યો હતો, તેને કંઈ જ ખબર ન પડી. શું કરવું તે સમજાતું ન હતું. આ પરિસ્થિતિ જોઈને સજ્જનની પત્નીએ તેને કહ્યું, “હું આ જીનને કામ આપી શકું છું. પણ તમારે આના પરથી શીખવું પડશે કે જો તમે ઉદ્યમ નહિ કરો તો આ આળસ રૂપી જીન તમને ખાઈ જશે. સજ્જન કબુલ થયો.

સજ્જનની પત્નીએ જીનીને આદેશ આપ્યો અને કહ્યું- "જા અને અમારા કૂતરા મોતીની પૂંછડી સીધી કર." હવે કુતરાની પૂછડી સીધી તો થાય નહિ પણ સજ્જન સીધો થઇ ગયો.

આ તરફ ત્રિકાળ જ્ઞાની ઋષિ ને તો ભવિષ્ય ખબર જ હતું. જ્ઞાન આવતા જેમ અજ્ઞાન અલોપ થઇ જાય, સુરજના અજવાળે જેમ અંધકાર દુર થઇ જાય તેમ જીન પણ ક્યાંક ચાલ્યો ગયો.

કાલ કરે તે આજ કર, આજ કરે તે હમણાં જ કર,

પલમાં તક ચાલી જશે તો માથે હાથ દઈ રડ.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ (બીજો અધ્યાય, શ્લોક ૪૭)

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે, કર્મ કરવું જ તારા હાથમાં છે તેના ફળ સ્વરૂપ શું પરિણામ આવશે તે નક્કી કરવાનું તારા હાથમાં નથી. આથી ફળની ચિંતા કર્યા વગર પોતાનું તમામ ધ્યાન અને શક્તિ માત્ર કર્મ પર કેન્દ્રિત કર.


Rate this content
Log in

Similar gujarati story from Classics