પ્રભુની પૂજા
પ્રભુની પૂજા
દરિદ્રનારાયણને તુષ્ટ કરવામાં છે પૂજા પ્રભુની,
કોઈ બુભુક્ષિતને અન્ન દેવામાં છે પૂજા પ્રભુની,
શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરુપે મળે યા ન મળે,
જનેજનમાં જનાર્દન પરખવામાં છે પૂજા પ્રભુની,
કલુષિત વાતાવરણે અંગાર આક્રમણ વધી જતું,
વૃક્ષ વાવીને વળી તેને ઉછેરવામાં છે પૂજા પ્રભુની,
સદાચાર અને સંતોષ હોય જેના જીવનમાં સદા,
સેવા માતપિતા તણી કરવામાં છે પૂજા પ્રભુની,
ન ચાતરે માર્ગ કદી સત્યનો, અહિંસા અનુસરે,
દીનહીનની સેવાને સ્વીકારવામાં છે પૂજા પ્રભુની.