Kaushik Dave

Fantasy Thriller

4  

Kaushik Dave

Fantasy Thriller

" તલાશ - Last Planet "

" તલાશ - Last Planet "

7 mins
210


 "હેલો,ડો.જોન આપના બે અંતરિક્ષ યાત્રી ઓ જે મંગલ યાત્રા માટે નિકળ્યા હતા તે અમારી પાસે છે.તેમને અમે રસ્તામાંથી આંતરી ને પકડ્યા છે." 

ડો.જોન જે અમેરિકાનીનાસા સંસ્થાના વડા છે તેમના કોમ્પ્યુટરમાં આ અજાણ્યો મેસેજ આવ્યો. ડો.જોન ચિંતિત થયાનેનાસાના અગ્રણીઓની મીટીંગ કરી.ડો.ડેવીડ જે ડો.જોનના આસીસ્ટન્ટ છે.

તેમણે કહ્યું," પણ આ લોકો કોણ છે ? અને અંતરિક્ષમાં ક્યાંથી ? તેમની માગણી ઓ શું છે ? તેમના મેસેજના આધારે કોન્ટેક્ટ કરવો જોઈએ."

સર્વાનુમતે આ કામગીરી માટે ડો.જોનને કેસ ડીલ કરવા કહ્યું. ડો.જોન મેસેજના આધારે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ નિષ્ફળતા મલે છે. નવા મેસેજ માટે નાસાના વૈજ્ઞાનિકો રાહ જુએ છે. અને બીજે દિવસે નાસાના કોમ્પ્યુટર સ્ક્રીન પર અજાણ્યા એલીયન દેખાય છે. જેઓ દેખાવમાં તામ્ર વર્ણના અને ૧૨ ફુટ લાંબા મોટાને બિહામણા હોય છે.

અને ધમકી સ્વરમાં બોલ્યા, "હેલો,ડો.જોન અમે V2KM ગ્રહનાં છીએ. તમે અમારા બે સાથીદારોને પકડી રાખ્યા છે, જેની માહિતી અમને મલી છે. જો તમે અમારા સાથીદારોને મુક્ત નહીં કરો, તો અમે તમારા મંગલ મિશનના બે અંતરિક્ષ યાત્રીઓને અમારા ગ્રહ પર લઈ જવામાં આવશે. અને તમારાં બીજા બે અંતરિક્ષયાત્રી જેઓ ચંદ્ર મિશન પર છે તેમને પણ કેદ કરીશું. અમારા બીજા બે સાથીદારો ચંદ્ર પર જ છે અને તમારા યાનને ચંદ્ર પર જોયા છે."                 

આ સાંભળીનેડો.જોને તેમના સાથીઓ સાથે ચર્ચા વિચારણા કરી.નેકહે છે," 

એકાદ મહિના પહેલાં અલાસ્કા વિસ્તારમાં એક અજાણ્યુ યાન તુટી પડ્યું હતું. જેની માહિતી લોકલ લોકોએ પોલીસને કરી પરંતુ તુટી ગયેલા યાન પાસે બે વિચિત્ર પ્રકારના મૃતદેહ પડેલાં હતાં. જેની નાસાને જાણ થતાં તુટેલા યાન તેમજ મૃતદેહ રીસર્ચ માટે લેબમાં લાવવામાં આવ્યા હતા. આ માહિતી રાષ્ટ્રપતિ અને નાસાના અમુક વૈજ્ઞાનિકોને જ હતી. પણ આ માહિતી આ અજાણ્યા પરગ્રહવાસીઓને કેવી રીતે મલી ?" હવે શું કરવું તે માટે રાષ્ટ્રપતિ સાથે ઈમરજન્સી રાખી.

ડો.જોન નાસાના વડા છે. જેઓને એક પ્રોજેક્ટ હોય છે. બ્રહ્માંડમાં સજીવ સૃષ્ટિ છે કે નહીં અને કેવી છે ? અન્ય ગ્રહો પર એલીયનો છે ?અને તેમના આસીસ્ટન્ટ ડો.ડેવીડ આપણી સૂર્ય માળાના ગ્રહો પર સંશોધન કરતા હોય છે. એક દિવસ ડો.જોન અંતરિક્ષનું રીસર્ચ કરતા ચોંકી જાય છે. આપણા સૂર્યમાળાથી દૂર એક ગ્રહ પર સજીવ સૃષ્ટિ હોય તેવું લાગે છે. આ બાજુ ડો.ડેવીડને રીસર્ચ કરતા માલુમ પડે છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આપણી સૂર્યમાળામાં પ્લુટો ગ્રહ પછી એક ગ્રહ હતો. જે તે વખતે એક અવકાશી ધમાકાના કારણે તે સૂર્યમાળાથી ઘણો દૂર જતો રહ્યો હોય છે. અને હવે ગ્રહ તીવ્ર ગતિથી આપણી સૂર્યમાળા તરફ આવી રહ્યો છે.      

આ સંશોધનના પાંચ વર્ષ પછી નાસા સંસ્થા દ્વારા અંતરિક્ષમાં ચંદ્ર પર સમાનવ યાન અને મંગળ પર પણ સમાનવ યાન મોકલવાનો પ્રોજેક્ટ હોય છે. તે માટે બંને યાનોમાં બે બે અંતરિક્ષયાત્રીઓ નક્કી કરે છે. ચંદ્ર પર જતા યાનને ચંદ્રની બીજી બાજુ જ્યાં અંધકાર હોય છે ત્યાં ઉતારવાનું હોય છે. કારણકે તે બાજુ ઉર્જાના સ્ત્રોત્ર માટેનો કાચો મટીરીયલ છે તેવું નાસાના અગ્રણી વૈજ્ઞાનિકોને લાગે છે. તે ઉપરાંત અગાઉના સંશોધનો ઉપરથી એવા શંકાસ્પદ યાનો ચંદ્રની બીજી બાજુ આવતા હોય તેવું લાગતું હોય છે.

હવે આ બાજુ ભારતે પણ ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હોય છે. જે માટે અંતરિક્ષ યાત્રી તરીકે ચેન્નાઇના મનોહરન ઐયર અને દિલ્હીના અજય શર્માને પ્રોજેક્ટ માટે પસંદ કરી તાલિમ આપવામાં આવે છે. બંને જણા યોગ, ધ્યાન અને ટેલીપથીના જાણકાર હોય છે. અમેરિકાની નાસા દ્વારા મંગલયાન સમાનવ મોકલવામાં આવે છે. જેનો હેતુ  મંગલ વિષે વિસ્તૃત માહિતી મળે. મંગલયાન મોકલ્યાના થોડા દિવસ પછી ચંદ્રયાન મોકલે છે. પરંતુ ચંદ્ર પર પહોંચ્યા પછી નાસા તેનો કોન્ટેક્ટ ગુમાવી દે છે. અને મંગલ મિશન પર ગયેલા યાન પણ સંપર્ક ગુમાવી દે છે. આ પિરિયડમાં જ ભારત સમાનવ યાન ચંદ્ર પર મોકલે છે. અંતરિક્ષ યાત્રી મનોહરન અને અજય શર્મા સહીસલામત રીતે ચંદ્ર પર યાન ઉતારે છે. અને પોતાનું રીસર્ચ કામગીરી કરે છે.

આ બાજુ ડો.જોનનેસ્ક્રીન પર એલીયનોના મેસેજ આવે છે. જો ૨૪ કલાકમાં એમના બે એલીયનોને કેદમાંથી મુક્તિ નહીં આપે તો, ચંદ્ર પર ગયેલા તેમના અંતરિક્ષ યાત્રીઓને કેદ કરશે. અને પૃથ્વી પર આક્રમક કરશે. આ મેસેજ પછી ડો.જોન અને તેના સાથીદારો ચિંતિત બન્યા.અને મદદ માટે ભારત સરકારનો કોન્ટેક્ટ કરે છે.

ડો.જોનને ખબર હોય છેકે, ભારતનું એક સમાનવ યાન ચંદ્ર પર ગયેલું છે. ભારત સરકાર અમેરિકાની નાસાને યોગ્ય મદદ કરવા માટે તૈયાર થાય છે. અને ચંદ્ર પર ગયેલા યાત્રીઓનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ધીરે ધીરે કોન્ટેક્ટ ગુમાવે છે. ચંદ્ર પર ગયેલા મનોહરન, ચંદ્ર પર એક વિચિત્ર યાન જુએ છે. હજુ વિચારે છે ત્યાં જ એ યાનના એલીયને કોઈ વિચિત્ર પ્રકારના સ્પ્રેથી મનોહરને અને અજયને બેભાન બનાવ્યા. જ્યારે ભાનમાં આવે છે ત્યારે બાર ફુટ ઊંચા શ્યામવર્ણી ટકલા એવા બે એલીયનો જુએ છે. 

 એમાંનો એક બોલ્યો, "હે ભારતવાસી, અમે તમારા દુશ્મન નથી. અમે તમને મદદ કરવા આવ્યા છીએ." 

મનોહરન બોલ્યો,"અમને કેમ મદદ કરવાના છો ? અમે ભારતીય છીએ તે કેવી રીતે ખબર પડી ? તમે કોણ છો ? અહીં શા માટે ? " 

 એલીયન બોલ્યો, "અમે સુરાતલ બ્રહ્માંડમાંથી આવીએ છીએ. મારુ નામ પ્રક્ષર, અને મારા સાથીનું નામ પ્રબલીક છે. અમારા ગુરુ પ્રબાલીએ તમને મદદ કરવા મોકલ્યા છે. આ બ્રહ્માંડના એક ગ્રહના જીવો મંમાયા લોકો પૃથ્વી પર હુમલો કરવા આવવાના છે. તેઓે અમેરિકાના ચંદ્ર પર આવેલા તેમના યાત્રીઓને કેદ કરવાના છે તેમજ મંગલ મિશન પર ગયેલા બે અમેરિકનને કેદ કર્યા છે." 

અજય શર્મા બોલ્યા ,"પણ આ બધાની જાણ તમને કેવી રીતે મળી ? અને ચંદ્ર ઉપર તમે અમારી ભાષાની ઓળખ કેવી રીતે કરી ? ચંદ્ર પર શબ્દ અવાજ પ્રસારણનું માધ્યમ તો નથી ?" 

એક એલીયન બોલ્યો, "હે ભાઈ, અમે અક્ષર કંપન, શબ્દ ધ્વનિ અને હોઠના હલનચલન પરથી ભાવાર્થ સમજી શકીએ છીએ. તેમજ ટેલીપથી પણ જાણીએ છીએ. અમારા ગુરુ પ્રબાલી ને આઠ બ્રહ્માંડની ભાષા, આઠ dimensions સુધીની જાણકારી છે. તેમણે જ અમને મોકલ્યા છે. અમારા ગુરુના પણ ગુરુ મહાગુરુ વિભિષણ મહારાજ સુરાતલના બીજા ગ્રહ ઉપર છે. તેમણે ભગવાન શ્રી રામના રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી અમારા ગુરુ પ્રબાલીને સોંપી છે."

હવે આપણે ચંદ્ર પરના અમેરિકનોને બચાવવા જવું પડશે."             

આ પછી ચારેય ચંદ્રની પાછળ અમેરિકન યાન પાસે આવ્યા. ત્યાં સુરાતલના જીવો એ પેલા વિચિત્ર મંમાયા જીવોનો સામનો કર્યોને એક મંમાયાને કેદ કર્યો. પણ બીજો મંમાયા એ બે અમેરિકનને કેદ કરી તેમને લઈને મંગલ ગ્રહ પર જતા રહ્યા.

હવે પ્રક્ષરે બેભાન કરેલા મંમાયાના શરીરની તપાસ કરીને તેનું હ્રદય ખોલ્યું તો અનેક ચીપ્સ અને સર્કીટ હતી.

આ જોઈને મનોહરન બોલ્યો,"આમ કેમ ?"

પ્રક્ષર બોલ્યો, "જેમ તમે રોબોટ બનાવો છો તેવી રીતે મંમાયા લોકો એ આવા જીવો બનાવ્યા છે. તેઓ આવા જીવોની સહસ્ત્ર નંગો (૧૦૦૦ જીવો)ની બેચ બનાવે છે. તેમાં તેમની બધી રચનામાં કુત્રિમ સાધનોનો ઉપયોગ અને હ્રદયમાં ચીપ્સો ને સર્કીટ હોય છે." સૌપ્રથમ મારે આની જે સર્કીટ છે તેમાં પૃથ્વી પર અમેરિકામાં રહેલા તેમના સાથીઓનું લોકેશન છે તેમાં ભાંગફોડ કરીને પૃથ્વીને બચાવવી પડશે." આ પછી પ્રક્ષરે સર્કીટની નં.૯૯૯ અને નં૧૦૦૦માંથી લોકેશન ચીપ્સ શોટ કરી દીધી. અને કહ્યું કે "આપણી પાસે અમેરિકનોનેબચાવવા માટે ફક્ત એક કલાક જ છે." અને પ્રબલિકનેકહ્યું,"તું આ મનોહરનને લઈને મંગલ ગ્રહ પર જા અને ચારે અમેરિકન યાત્રીઓને લઈનેપૃથ્વી પર પહોંચ. ત્યા સુધીમાં મંગલ પર રહેલા મંમાયાના લોકેશન તને મોકલું છું અને તે મંમાયાના નંબરો આ બોડીમાંથી શોધી કાઢું. અને તે નંબરની સર્કીટ, ચીપ્સોને શોટ કરીશ જેથી તારે તેમનો સામનો કરવો પડશે નહીં." 

આ સાંભળીને પ્રબલિક અને મનોહરન એક યાન લઈને મંગલ ગ્રહ પર પ્રયાણ કર્યું. હવે પ્રક્ષરે અજયનેકહ્યું, "તારે અત્યારે જ ભારતમાં આવેલ કાશી જવાનું છે. ત્યા ભગવાન વિશ્વનાથના અને મા અન્નપૂર્ણાના દર્શન કરીને દશાશ્વમેઘ ઘાટ પર એક બાલક જેના હાથમાં પુજા કરેલું બિલિપત્ર હશે. અને બીજી એક બાલિકા જેના હાથમાંમાં અન્નપૂર્ણાનું લાલ ફુલ હશે તે તારે લાવવાનું છે.જ્યારે તું તે લેતો હશે ત્યારે હું ત્યાં આવીશ."

અજય બોલ્યો," પણ એક કલાકમાં હું કેવીરીતે કાશી પહોંચીશ ?" 

પ્રક્ષર બોલ્યો, "ચિંતાના કર હું લઈ જઈશ. તુ આંખ બંધ કરને ઈશ્વરનું સ્મરણ કર".            

અજય શર્મા એ આંખ બંધ કરીને ઈશ્વરનું સ્મરણ કરે છે થોડી વારમાં અવાજ આવ્યો. હવે આંખ ખોલીને જો. અજય શર્મા આંખ ઉઘાડીને જુએ છે તો તે કાશીમાં ગંગાજીમાં હોય છે. અજય ગંગાજીમાંથી બહાર આવી બાબા વિશ્વનાથનું સ્મરણ કરે છે. અને દશાશ્વમેઘ ઘાટ પહોંચે છે તેજ વખતે એક બાલક અને બાલિકા હાથમાં પુજાનું લાલ પુષ્પ અને બિલિપત્ર લઈનેઆવે છે. અને અજય શર્મા માંગે એ પહેલાં તેઓ આપી દે છે. અને કહે છે અંકલ તમે સુરક્ષિત વાપસ આવજો અને કાર્ય સફળ કરજો. 

અજય શર્મા આ બે વસ્તુનેએક તાંબાના પાત્રમાં મુકે છે ત્યારે જ એક બાવાના રૂપે પ્રક્ષર આવે છે. અને પોતાની ઓળખ આપે છે. પ્રક્ષર તાંબાનું પાત્ર લઈને ગંગાજીમાં ડુબકી મારવા જાય છે અને અજયને પણ તેમ કરવા જણાવે છે. બંને ગંગાજીમાં ડુબકી મારે છે અને અજય જેવો આંખ ખોલે છે તો તે અને પ્રક્ષરને ચંદ્ર પર જુએ છે. પુછે છે, "હવે શું કરવાનું છે ? મારો સાથીદાર મનોહરન ક્યારે આવશે ?"

 પ્રક્ષર કહે છે, " તું ચિંતાના કર, પ્રબલિક અને મનોહરને ચારે અમેરિકનોને મુક્ત કરાવ્યા છે. પૃથ્વી પરનો ખતરો હાલ પુરતો નથી. મંગલ પરના બધા મંમાયા ખતમ થયા છે. પ્રબલિક તેઓને લઈને પૃથ્વી પર પહોંચી રહ્યા છે. હજુ પૃથ્વી પરનો ખતરો ઓછો થયો નથી. તે નિવારણ માટે જ પ્રસાદીનું બિલિપત્ર અને લાલફુલ મંગાવ્યું હતું."

થોડી વારમાં પ્રક્ષરે બિલિપત્ર અને લાલ ફુલની પુજા અર્ચના કરી અને એક પ્રક્ષેપાત્ર બનાવ્યું તેની પર બંને પુજાની વસ્તુ ચઢાવીનેઅંતરિક્ષમાં પ્રહાર કર્યો.

 તે જોઈનેઅજય બોલ્યો, "આ શું કરો છો ? અને કોના પર પ્રહાર કર્યો ? "

 પ્રક્ષર બોલ્યો, "આ શસ્રથી મંમાયાના ગ્રહ પર પ્રહાર કર્યો છે. આ ગ્રહ તીવ્ર ગતિથી તમારી સૂર્ય માળા તરફ આવી રહ્યો છે. આના પ્રહારથી આ ગ્રહ બીજા બ્રહ્માંડમાં પહોચી જશે. પૃથ્વી પર ખતરો રહેશે નહીં. અને હજુ દસ હજાર વર્ષ સુધી તેઓ આ સૂર્યમાળા તરફ આવી શકશે નહીં. હવે હે અજય તું આંખ બંધ કર." 

અજય આંખ બંધ કરે છે. જ્યારે અવાજો આવે છે ત્યારે આંખ ખોલે છે તો અજય કાશીમાં ગંગાજીમાં હોય છે. અજય બહાર આવી કલેકટરનો સંપર્ક કરે છે ત્યાંથી ઈસરોનો સંપર્ક કરે છે ઈસરોના વડા જણાવે છે કે, તમે ઉમદા કાર્ય કર્યુ છે. મનોહરન અને ચારે અમેરિકનો શ્રીલંકાના દરિયા કિનારેથી મળ્યા ને સહી સલામત છે તારી જ રાહ જોતા હતા.

 અજય મનોમન પેલા સુરાતલ વાસીઓનો આભાર માને છે. બીજા દિવસે નાસા અને અમેરિકા ભારતનો આભાર માને છે. ડો. ડેવીડને અંતરિક્ષમાં રીસર્ચ કરતા ખબર પડે છે કે જે ગ્રહ તીવ્ર ગતિથી સૂર્ય માળા તરફ આવી રહ્યો હતો તે હવે દેખાતો નથી. અને તેમને બ્રહ્માંડમાં ઓમ્ ધ્વનિનો નાદ સંભળાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy