સંબંધોનું રાજકારણ
સંબંધોનું રાજકારણ
-
એ આંખ બધું જોઈ શકતી હતી, બધું સમજી શકતી હતી પણ શરીર હલન ચલન કરી શકતું ન હતું, બોલી શકાતું પણ ન હતું. એને ઘણું કહેવું હતું, પૂછવું હતું. પણ ના ! હવે એ સક્ષમતા ન હતી. એને એ ૧૨ x ૧૨ ના રૂમમાં થતી ચહલપહલ ગમતી હતી. એને એ બાજુમાં બેઠેલી નાના દીકરાની વહુની હુંફ હતી. એને એ વારેઘડીએ શરીરમાં ખોપવામાં આવતા ઇન્જેક્શનથી કોઈ દર્દ મહેસૂસ ન થતો. કદાચ એ શરીરે આ ઇન્જેક્શન કરતા પણ મોટા ઘા સહન કર્યા હશે આજીવન !
શહેરની પ્રખ્યાત અને સૌથી મોટી સંજીવની હોસ્પિટલમાં આજે રોજ કરતા થોડી વધારે ભીડ હતી. એ ભીડનું કારણ હતું કે શહેરના ધારાસભ્યની માતા પર કોઈએ કરેલો ઓચિંતો હુમલો ! આ હુમલાથી મી.રાજનના માતુશ્રી કોમામાં ચાલ્યા ગયાં હતા. આ સમાચાર મળતા જ મીડિયા અને રાજકારણીઓનો આ હોસ્પિટલમાં ધસારો વધી ગયો હતો. મી.રાજન આ શહેરમાં છેલ્લા ત્રણ વરસથી ધારાસભ્ય તરીકેની ફરજ બજાવતા હતા. તેમની ત્રણ વરસની આ કારકિર્દી બેદાગ રહી હતી.
પરંતુ છેલ્લા પંદર દિવસથી તેમના પર શંકાના વાદળો છવાયા હતા. તેમના વર્ષીય પુત્ર આર્યને તેની સાથે ભણતી આરાધ્યા પર બળાત્કાર કર્યાના સમાચાર વહેતા થયા હતા. આરાધ્યા એ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આરાધ્યાનો શારીરિક તપાસનો રિપોર્ટ પણ એ દર્શાવી રહ્યો હતો કે તેના પર બળજબરી થઈ છે. આ સમાચારે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. રાજનની બેદાગ કારકિર્દી પર આ એક મોટો ધબ્બો હતો. મીડિયાવાળા આ વાતને પુરતી ચગાવી રહ્યા હતા અને આગમાં ઘી હોમવાની તેમની ફરજ પુરી કરી રહ્યા હતા. વિપક્ષને પણ વિરોધ્ધ કરવા માટે એક મુદ્દો મળી ગયો હતો.
ઘણા વિશેષજ્ઞ મી.રાજનની માતા પર થયેલા હુમલાને આર્યનના બળાત્કારના કેસ ને દબાવવા માટેની રાજનીતિક ચાલ માની રહ્યા હતા તો ઘણા લોકો જે મી.રાજન ને વરસોથી ઓળખતા હતા તે માની રહ્યા હતા કે મી.રાજનનો સમય કપરો ચાલી રહ્યો છે જેથી તેમના પર આવી રીતે એકપછી એક આપદાઓ આવી રહી છે, અને ઘણા લોકોને આ બન્ને વાત વિપક્ષ દ્વારા રમવા માં આવેલી ગંદી રાજનીતિનો હિસ્સો માની રહ્યા હતા અને ઘણા લોકો આને સહાનુભૂતિ મેળવવા માટેનો પ્લાન પણ માની રહ્યા હતા. જેટલા મોં તેટલી વાતો થઈ રહી હતી.
મી.રાજનના માતા ફ્લેટમાં એકલા રહેતા હતા. આર્યન અને મી.રાજનનો આવરોજાવરો તેમના ફ્લેટ પર રહેતો હતો. આર્યન તો દાદીનો લાડકો હતો. તે ઘણીવાર દાદી સાથેજ તેમના ફ્લેટ પર જ સુઈ જતો. આ ફ્લેટ મી.રાજન ના ઘરેથી પાંચ મિનિટના અંતરે જ આવેલો હતો. આ પાંચ મિનિટનું અંતર પણ મી.રાજનની પત્નીના કારણે લાંબુ લાગવા લાગ્યું હતું આ લોકોને. તે અવારનવાર મી.રાજનને અને આર્યનને પણ ત્યાં જતાં અટકાવતી. તેના મનમાં એવું હતું કે મી.રાજનની માતા તેના પુત્ર અને પતિને ભોળવીને સંપત્તિ પચાવી પાડશે અને એ સંપત્તિ મી.રાજનના નાનાભાઈના નામે કરી દેશે. એટલે જ તેમને તેમની સાસુમાં સાથે ઓછું બનતું અને એમની સાસુમાંને પણ મી.રાજનની પત્ની કરતા નાની વહુ સાથે સારૂ બનતું.
મી.રાજનની ફરિયાદના આધારે પોલીસે તેમના ઘરના વિસ્તારમાં લાગેલા સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતા, તે ક્લિપ મુજબ જે દિવસે મી.રાજનના માતુશ્રી પર હુમલો થયો તે દિવસે તે વિસ્તારમાં આરાધ્યા, મી.રાજનની પત્ની, વિરોધ્ધ પક્ષમાં રહેલા રામબાબુ અને આર્યનની અવરજવર શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ક્લિપના આધારે પોલીસે આ લોકોની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર રાઠોડ સાહેબ આ લોકોની પૂછપરછ કરવાના હતા.
પહેલા આરાધ્યાની એક અલગ જેલ જેવા વિભાગમાં પૂછપરછ ચાલુ થઈ, પૂછપરછ વિભાગમાં અંધારું હતું, એક ગોળ ટેબલ પર નાનો એક બલ્બ મુકવામાં આવ્યો હતો અને ટેબલની પાસે એક પ્લાસ્ટિકની ખુરશી મુકવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન તે લોકોની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવતું હતું.
"ત્યાં તું શું કામ ગઈ હતી ?" રાઠોડ સાહેબે પહેલો સવાલ જ કડક અને ઊંચા અવાજમાં કર્યો.
"ત્યાં હું...હું....આર્યનને મળવા ગઈ હતી." આરાધ્યા પહેલેથી જ ગભરાયેલી હતી અને રાઠોડ સાહેબના સવાલથી અને ગુસ્સા ભર્યા સ્વરથી વધુ ગભરાઈ ગઈ હતી. તેનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો.
"કેમ એને મળવા ? એણે તો તારી ઈજ્જત......"રાઠોડ સાહેબ બોલતા ખચકાયા. કદાચ એ એક સ્ત્રીને આવું પુછીને શરમાવા નહોતાં માંગતા"
"તેને મળવું હતું, એટળે તેણે મને બોલાવી હતી, મારો કોઈ વાંક નથી.....પણ મને ડર લાગતો હતો એટલે મળ્યા વગર જ ચાલી ગઈ.." આરાધ્યાનો અવાજ હજુ પણ ધ્રૂજતો હતો અને તે રીતસરની રડી પડી હતી.
બીજા થોડા સવાલો પૂછીને રાઠોડ સાહેબે તેને જવા દીધી.
ત્યારબાદ રાઠોડ સાહેબે આર્યનને પૂછપરછ માટે બોલાવ્યો. આર્યનની પૂછપરછ કરતા તેમને માલુમ પડ્યું કે આરાધ્યા સાચું બોલી રહી હતી અને એ આર્યનના કહેવાથી જ ત્યાં મળવા આવી હતી. અને આર્યન કોઈ તેને અને આરાધ્યાને સાથે જોઈ ના લે એટલે જ ચહેરા પર રૂમાલ બાંધીને ફરી રહ્યો હતો. આર્યનને પોતાના કર્યા પર પસ્તાવો હતો અને તેને આરાધ્યા સાથે લગ્ન કરવા હતા એટલે જ એણે તેને મળવા બોલાવી હતી અને તેણે આ વાત આરાધ્યાને ફોન પર કરી હતી, જેથી જ તે આર્યનને મળવા તૈયાર થઈ હતી.
રાઠોડ સાહેબને આરાધ્યા અને આર્યનની બાલિશ વાતો પર હસવું પણ આવતું હતું અને ગુસ્સો પણ અને તે આર્યન ના ગયા પછી સાથે રહેલા હવાલદારને કહી રહ્યા હતા કે
"આ મોટાં માથાંના પૈસાદાર છોકરાઓ માટે પ્રેમ, લગ્ન, બળાત્કાર વગેરે એક રમત થી વધારે કંઈ જ નથી !"
ત્યારબાદ રામબાબુને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં, રામબાબુની પૂછતાછથી રાઠોડ સાહેબને માલુમ પડ્યું કે રામબાબુ ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમણે આરાધ્યાને આ બાજું આવતા જોઈ અને તેને જોતાં જ રામબાબુને કંઈ નવું રંધાઈ રહ્યું હોય અને કોઈ પોલિટિકલ ગેમ લાગતાં એ આરાધ્યાની પાછળ પાછળ આવ્યા હોવાનું જણાવ્યું અને પછી રામબાબુના મત મુજબ આરાધ્યા કોઈને મળ્યા વગર જતી રહી તેથી તેમણે પણ ચોરી છુપીથી તેમની ગાડી ત્યાંથી નીકાળીને ઓફીસ તરફ ભગાવી મૂકી. તેમની વાત પરથી પણ તે સાચું બોલી રહ્યા હોય એવું અનુમાન રાઠોડ સાહેબ લગાવી શકતા હતા.
તેમના પછી પૂછપરછ માટે મી.રાજનના ધર્મપત્નીનો વારો આવ્યો.
તેમને પૂછપરછ વિભાગમાં લઈ જવામાં આવ્યા. ત્યાં પહોંચતા જ તે બોલી ઉઠ્યા કે "મેં કર્યો છે હુમલો, હા મેં કર્યો છે આ હુમલો મારા સાસુ પર !" આટલું બોલતાં જ તે ટેબલ પર માથું ઢાળીને રડી પડ્યા.
**********હોસ્પિટલ નું દ્રશ્ય*************
આ બાજુ સંજીવની હોસ્પિટલ પર હજુપણ મીડિયાની ભીડ લાગેલી હતી, તે કોઈ સમાચાર કવરેજ કરવાની લાયમાં તે સ્થળ છોડી જ નહોતા રહ્યા. રાજનને આ મીડિયાની ભીડ અકળાવી રહી હતી, તે હોસ્પિટલની લોબીમાં આમ તેમ આંટા મારી પોતાની ચિંતા અને અકળામણ હળવી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ચોખી દેખાઈ આવી રહી હતી. હોસ્પિટલના એ.સી એરિયામાં પણ તેમના કપાળ પર પરસેવો દેખાઈ રહ્યો હતો. મી. રાજનની માતાજીને રાખ્યા હતા ત્યાં રૂમની અંદર ડોકટરસની દોડધામ ચાલુ હતી. નર્સ વારેઘડીએ કાંઈ લેવા માટે સામે રહેલી કેબીનમાં જઈ રહી હતી. થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને મી.રાજન તેમની તરફ દોડી ગયા અને પ્રશ્નાર્થ નજરે તે ડોક્ટર ની સામે જોઈ રહ્યા.
"કંડીશન હજુપણ ક્રિટીકલ જ છે, હું તમને અત્યારે કોઈપણ જાતની હોપ આપવા માંગતો નથી" ડોક્ટરે મી.રાજનની પ્રશ્નભરેલી નજરને કળી શક્યા હોય તે રીતે બોલ્યા.
આટલું બોલીને ડોક્ટર સામે આવેલી તેમની કેબીન તરફ ચાલવા લાગ્યા.
મી.રાજન રૂમની બહાર રહેલા બાંકડા પર નિઃસહાય બની ફસડાઈ પડ્યા અને તે મોટા અવાજે રુદન કરવા લાગ્યા.
ત્યાં ઉભેલા મીડિયા કર્મીઓ માટે આ એક મસાલો જ હતો, તેમની માટે આ એક બ્રેકિંગ ન્યુઝ હતા તેથી તે લોકો આનું શૂટિંગ કરી રહ્યા હતા.
થોડીવાર પછી હોસ્પિટલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. મી.રાજન હજી પણ બાંકડા પર બેઠા હતા ત્યાં જ રૂમ માંથી નાની વહુ એ મોટેથી બૂમ પાડી તે સંભળાઈ અને કાંઈ અઘટિત બની ગયું હોવાના ભય સાથે મી.રાજન અંદરની તરફ દોડી ગયા, ત્યાં પહોંચતા જ તેમણે સામે રહેલો તેમની માતાનો બેડ ખાલી જોયો...
રાઠોડ સાહેબે રડતા સુધા બેનને શાંત રાખી પાણી આપ્યું અને તેમને થોડીવાર માટે આરામ કરવા દેવામાં આવ્યો. અમુક સમયના અંતરાલ પછી રાઠોડ સાહેબ ફરી ત્યાં પહોંચ્યા અને સુધાબેનને પુછયુ
"હા તો, તમે હુમલો કરાવ્યો છે ખરું ને?"
સુધાબેને હકારમાં માથું ધુણાવ્યું.
રાઠોડ સાહેબે ફરી પૂછ્યું "તમે શું બોલો છો તેનું ભાન છે ને ! તમારાં સાસુમાંને કંઈપણ થયું તો ફાંસી !"
સુધાબેન મક્કમ રહ્યા અને હા પાડી. રાઠોડ સાહેબે કારણ પૂછતાં તેમણે અવારનવાર થતાં ઝગડાથી કંટાળીને હુમલો કર્યો હોવાનું કબુલ્યું.
રાઠોડ સાહેબ કેસ કળી ચુક્યા હતાં, તેમને ખ્યાલ આવી ગયો હતો કે સુધાબેન કોઈને બચાવવા માટે આ ખોટું બોલી રહ્યા છે. અને એક સ્ત્રી આવું ખોટું ત્યારે જ બોલે જયારે તે પોતાના દીકરા ને બચાવતી હોય અથવાતો પોતાના પતિ ને !
તેમણે સુધાબેનને જવા દીધા.
"બંને બાપ દીકરા પર નજર રાખો" રાઠોડ સાહેબ ટેબલ પર હાથ પછાડીને સહકર્મીઓને કહી રહ્યા હતા ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને ફોન ઉપાડતા જ તેમને હોસ્પિટલમાંથી મી.રાજનની માતાજી ગાયબ થઈ ગયા હોવાના સમાચાર મળ્યા.
રાઠોડ સાહેબ પોતાની જીપ અને ચાર પાંચ હવાલદારોની ટીમ લઈને હોસ્પિટલ તરફ જવા નીકળી પડ્યા.
"આટલી ભીડ, મીડિયા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોણ ઉઠાવીને લઈ ગયું હશે !" તેમનાથી જીપ ચલાવતાં ચલાવતાં બોલાઈ જવાયું.
હોસ્પિટલ પહોંચ્યાં જ હતા કે પત્રકારોએ રાઠોડ સાહેબ પર સવાલોનો મારો કર્યો.
"તમને શું લાગે છે આમાં કોનો હાથ હશે ?"
"શંકાસ્પદોની પૂછતાછ પરથી શું તારણ નીકળ્યું ?"
"પોલીસની હવે પછીની પ્લાનિંગ શું છે?"
"આ કોઈ ગંદુ રાજકારણ તો નથી ને !"
રાઠોડ સાહેબ આવા પુછાતા એક પછી એક દરેક પ્રશ્નને અવગણીને હોસ્પિટલમાં પ્રવેશ્યા. મીડિયાને હોસ્પિટલના દરવાજે જ અટકાવવામાં આવી.
રાઠોડ સાહેબ હોસ્પિટલની લોબીમાં પહોંચ્યા ત્યાં તેમણે લોબીમાં રિસેપ્શનિષ્ટના ટેબલ પાસે ચાલતા ટીવી પર નજર પડી, તેમાં મી.રાજન અસ્વસ્થ થાઈ ને રડી રહેલા હતા તે સમાચાર આવી રહ્યા હતા, રાઠોડ સાહેબે આંખો દ્વારા ગુસ્સો દર્શાવ્યો જેથી રિસેપનિસ્ટ ટીવી બંધ કરવા માટે મજબુર થઈ.
રાઠોડ સાહેબ અંદર ગયા અને ત્યાં રહેલી મી.રાજન ના નાના ભાઈની પત્નીને પૂછ્યું "તમે ક્યાં ગયા હતા ? આવી હાલત માં એમને એકલા કઈ રીતે મૂક્યાં ?"
"મારો ફોન આવ્યો હતો, તે ફોન મારા પતિનો હતો અને તે તેમના મમ્મીની ખબર પૂછી રહ્યા હતા અને હું તેથી રૂમથી થોડી દૂર જઈ ને વાત કરી રહી હતી, હા પણ રાજન ભાઈ બહાર જ બેઠા હતા." તે એકી શ્વાસે બોલી ગઈ.
રાઠોડ સાહેબે મી.રાજનની સામે જોતા તેમણે પણ આ વાતમાં સહમતી દર્શાવી.
થોડીવારના સવાલો પછી રાઠોડ સાહેબે એ લોકોને પોતપોતાના ઘરે જવાનું કહ્યું અને પોલીસ તેમની માતા અંગેના કઈપણ સમાચાર મળશે તો તેમને જણાવશે તેવું કહ્યું. મી.રાજન થોડી આનાકાની પછી ઘરે જવાની વાત સાથે સહમત થયા.
રાઠોડ સાહેબે પણ હોસ્પિટલના ખૂણે ખૂણે તપાસીને શક્યતાઓ ચેક કરી.
*************************************
હવે આ વાતને ચાર દિવસ વિતી ગયા હતા, છેલ્લા ચાર દિવસથી આ શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો, ન્યુઝ પેપર, ટી.વી., સોસીયલ મીડિયા, ઓફીસોમાં એની ચર્ચા જ થઈ રહી હતી, કોઈ આ વાતને કળી શકતું ન હતું.
મી.રાજનને પાર્ટીના દબાવથી રાજીનામુ આપવું પડ્યું હતું અને તે ઘરે જ હતા છેલ્લા ચાર દિવસ થી, આર્યન પણ પપ્પા સાથે ઘરે જ રહેતો અને તે દાદીની ચિંતામાં બીમાર પડી ગયો હતો. સુધાબેનને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમના પતિ કે પુત્ર માંથી કોઈએ એ હુમલો કે આ અપહરણ કર્યું ન હતું. મી.રાજન ના પરીવારને આ ચાર દિવસ ચાર વરસ જેવા લાગ્યા હતા. ચારેબાજુ નો ફીટકાર તેમનાંથી સહન થતો ન હતો. પરંતુ તે લાચાર હતા, અસમર્થ હતા. તેમનું બધું છીનવાઈ ગયું હતું, પાવર, પ્રતિષ્ઠા જેવું હવે કઈ રહ્યું જ ન હતું.
વધુ વીસ દિવસો વીત્યા...
આર્યન બહાર ઉભો છે, તે દૂર આવેલા તેના દાદીના ઘર તરફ જોઈ રહ્યો છે, ત્યાં તેણે દાદીના ફ્લેટમાં હલનચલન જોઈ અને તરત જ તેણે તેના પપ્પાને બુમ પાડી, મી.રાજન ને તુરંત જ રાઠોડ સાહેબને ફોન કર્યો, રાઠોડ સાહેબ ત્યાં દોડી આવ્યા પોતાના કાફલા સાથે.
રાઠોડ સાહેબે મી.રાજનને ત્યાં જ રહેવા જણાવ્યું અને તેમણે પોતાની ટુકડીને એ ફ્લેટ તરફ મોકલી, પોતે પણ ધીમે ધીમે ત્યાં ગયા. દરવાજો બંધ હતો, અંદર કોઈ ધીમા અવાજે વાત કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું. રાઠોડ સાહેબે દરવાજો તોડ્યો અને સામે રહેલી વ્યક્તિને જોઈને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા "તમે !"
પોલીસ સ્ટેસનનું દ્રશ્ય :
એ આંખ રડી રહી હતી, અત્યારે એમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા, એ આંખ શરમથી ઉપર જોઈ શકતા ન હતી અને એ આંખો હતી મી.રાજનની માતાજીની !
રાઠોડ સાહેબના આવું કરવા પાછળનું કારણ પૂછવાથી મી. રાજનના માતાજી સુધાબેન તરફ જોઈને બોલી ઉઠ્યા
"બહુ અભિમાન હતું આને એના પતિના પૈસા પર, બહુ દેખાડો કરતી અને મારા દીકરાને અને પૌત્રને મને મળવા માટે પણ ન આવવા દેતી, મારે તેનું અભિમાન તોડવું હતું. મારે મારા નાના દીકરાને બધું આપવું હતું અને આને સબક સીખવાડવો હતો, તેથી આ ખોટા હુમલાનું નાટક કરાવડાવ્યું, ડોક્ટર્સને ખરીદ્યા, નાની વહુને સમજાવી અને આ નાટક પાર પાડ્યું. મને બહુ આનંદ થયો આને આટલી હેરાન થતા જોઈને, મને આનંદ થયો આને લાચાર જોઈને અને તે ખડખડાટ હસવા લાગ્યાં. આ એક ઝુનુની હાશ્ય હતું, થોડીવારે તે અટક્યું અને ફરીવાર બોલ્યા આ તો હું પ્રોપર્ટીના પેપર્સ લેવા આવી હતી અને ઝડપાઇ ગઈ, મારે તો હજી આને ઘણી તડપાવવી હતી, હા ઘણી.." ફરીતેઓ મોટેથી હસવા લાગ્યા હતા.
તેમની આંખોમાં સુધા બેન પ્રત્યે નફરત ભરાયેલી હતી. અને આ નફરતે જ તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા.
મી.રાજનને હવે કદાચ ખુરસી અને સત્તા તો પાછી નઈ આવે પણ એક દાગ સાફ થઈ ગયો. તેમણે આર્યન અને આરાધ્યાના સાદાઈ પૂર્વક પછીથી લગ્ન પણ કરાવ્યા. અને શહેરના એ ખૂણામાં ફરીથી આ કુટુંબ એક નવી શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યું હતું.
આ આખા ઘટનાક્રમને ન્યૂઝપેપર અને મીડિયાએ "સંબંધોનું રાજકારણ"ના શિર્ષક હેઠળ ખુબ ચગાવ્યો.