Jyotindra Mehta

Drama Thriller

2.6  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

4 mins
374


 સોમના હાથમાં હતું વયં રક્ષામઃ.આચાર્ય ચતુરસેનની અદભુત લેખનકળાથી તે અભિભૂત થઇ ગયો. મોડી રાત સુધી તે પુસ્તક વાંચવામાં વિતાવી હતી છતાં તે ધરાયો નહોતો. બીજા દિવસથી તેણે પોતાની દિનચર્યા પહેલાના જેવી કરી દીધી. તે કોલેજ જતો લેક્ચર અટેન્ડ કરતો અને પાછા વળતી વખતે લાઇબ્રેરીમાંથી રાવણ વિશેનું પુસ્તક લઇ આવતો. તેણે જેટલા પણ પુસ્તકો વાંચ્યા તેમાં રાવણ વિષે હકીકતો લખી છે કે કાલ્પનિક વાતો તેની ખબર પડતી ન હતી. કારણ રાવણ પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયો અને પુસ્તકો અત્યારના લેખકોએ લખેલા હતા. એવામાં તેને સીટી લાયબ્રેરીમાંથી વાલ્મિકી રામાયણ મળી આવ્યો તેમાં રાવણનો ઉલ્લેખ મહાત્મા તરીકે હતો. ગામડેથી આવીને તેને ૧૫ દિવસ થઇ ગયા હતા અને તે હવે થોડો આનંદમાં રહેતો હતો પણ રાત્રે તે ઝબકીને જાગી જતો હતો સપનામાં તેને તલવાર ફરતી દેખાતી અને હત્યારાનું શરીર પડતું દેખાતું અને તેના શરીરમાંથી વહેતુ લોહી દેખાતું. ભુરીયાની ચિંતા થોડી ઓછી થઇ ગઈ હતી હવે તેણે સોમનો પીછો કરવાનું બંધ કરવાનું નક્કી કર્યું પણ એક ઘટનાએ તેને ચોંકાવી દીધો.


          સોમ પ્રતિબંધિત ખંડમાં જવા લાઇબ્રેરીયન ને સંમોહિત કર્યો ત્યારે ભુરીયો એક કબાટની પાછળથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો. અંદર જઈને સોમ બે ત્રણ પુસ્તકો લઇ આવ્યો તેમાં એક હતું અંક પ્રકાશ, કુમારતંત્ર, ઇંદ્રજાલ અને લાઇબ્રેરીયનના કહેવા મુજબ આ બધાની રચના રાવણે કરી હતી અને આ પ્રતો એક અંગ્રેજને લંકામાં મળ્યા પછી તેણે ઈંગ્લીશમાં અને હિન્દીમાં ભાષાંતર કરાવ્યું હતું. આ પુસ્તકો વાંચવામાં તેને અઠવાડિયું નીકળી ગયું. આ તરફ ભુરીયો વિચારવા લાગ્યો હતો કે સોમ દેખાય છે એટલો સરળ નથી, તેને આજ સુધી ખબર નહોતી કે સોમ સંમોહન વિદ્યા જાણે છે અને હજી ન જાણે શું શું જાણતો હશે? હવે તેની તાલાવેલી વધતી જતી હતી તે તેનો દરેક જગ્યાએ પીછો કરતો હતો.


         પ્રદ્યુમ્ન સિંહના ઘરમાં મિટિંગ શરુ હતી. મિટિંગમાં પ્રોફેસર અનિકેત, પ્રદ્યુમ્ન સિંહ અને રામેશ્વર હાજર હતા. પ્રદ્યુમ્નસિંહે રામેશ્વર ને પૂછ્યું જટાશંકર ના કોઈ સમાચાર ? રામેશ્વરે કહ્યું ૨૦ દિવસ પહેલા તે જોધપુર પાસે હતો પણ હવે ત્યાં નથી તે ક્યાં ગયો હશે તેનો કોઈને કઈ અંદાજો નથી. કોઈ કહે છે તે હિમાલય ગયો છે તો કોઈ કહે છે દક્ષિણમાં ગયા છે પણ મને લાગે છે કે તે નજીકમાં ક્યાંક હશે અને હવે તે કોઈ ઘાતક વાર કરવાની તૈયારીમાં હશે. પ્રદ્યુમ્નસિંહે કહ્યું કે મારી છઠ્ઠી ઇન્દ્રિય પણ તેજ કહે છે અને આપણે તેને સોમ પર તે વાર કરે તેના પહેલા શોધવો પડશે. તે સોમનું કઈ નહિ બગાડી શકે પણ તેના પ્રત્યુત્તરમાં જો સોમ કાળી વિદ્યાનો ઉપયોગ કરશે તો બાબાની યોજના પડી ભાંગશે. આજ સુધી સોમે ફક્ત કાળી વિદ્યા મેળવી છે તેનો કોઈ દુરુપયોગ કે ઉપયોગ નથી કર્યો. અને સમય આવે તેના પહેલા તે તેનો ઉપયોગ કરે તે પણ યોગ્ય નથી. પ્રોફેસર અનિકેત થોડા ડઘાયેલા હતા તેમણે પૂછ્યું સોમ કાળી વિદ્યાનો જાણકાર છે ? પ્રદ્યુમ્નસિંહે કહ્યું તે ફક્ત જાણકાર નથી તે એવા પદ પર છે જ્યાં પાછલા હજારો વર્ષમાં કોઈ પહોંચ્યું નથી અને અત્યારે તે પદ પર બે જણા છે એક સોમ અને બીજો જટાશંકર. તેથી હવે તેમના વચ્ચે એક સ્પર્ધા નિર્માણ થશે અને તેમાં અત્યારે સોમ કોઈ વાર ન કરે તે ઇચ્છનીય છે.


તમે હવે મનમાં કોઈ જાતનો મત બાંધ્યા વગર મારા પ્રશ્નોનો ઉત્તર આપો. આપે રાવણ વિષે ક્લાસમાં લેક્ચર લીધું. અનિકેતે કહ્યું હા. પ્રદ્યુમ્નસિંહે પૂછ્યું સોમ ક્લાસમાં હાજર હતો ? અનિકેતે કહ્યું જી સર હાજર હતો અને ખુબ ધ્યાનથી લેક્ચર સાંભળ્યું. પ્રદ્યુમ્નસિંહે પૂછ્યું કે પાયલ અને સોમના વિષે કોઈ સમાચાર ? અનિકેતે કહ્યું સિંહ સાહેબ મીરાના કહ્યા અનુસાર ગામડેથી આવ્યા પછી જયારે સોમ પાયલને મળ્યો ત્યારે ખુબ રડ્યો હતો પણ કોઈ જાતનું સ્પષ્ટીકરણ આપ્યું નહિ ફક્ત એટલુંજ કહ્યું કે તે તકલીફમાં છે અને તકલીફમાંથી બહુજ જલ્દી ઉગરી જશે ત્યાર પછી સોમ થોડો ખુશ રહે છે તે મધુસુદન સર પાસે પણ ગયો હતો અને ત્યાં પણ તે સામાન્ય રીતે વર્ત્યો હતો. પ્રદ્યુમ્નસિંહે પૂછ્યું બીજું કઈ ? અનિકેતે કહ્યું હા એક વાત છે તેનો પ્રિયા મિત્ર ભુરીયો હંમેશા તેનો પીછો કરતો હોય છે. પ્રદ્યુમ્નસિંહે કહ્યું ઠીક છે પ્રોફેસર સાહેબ હવે આપ જઈ શકો છો અને મનમાં કોઈ જાતનો પૂર્વગ્રહ બાંધ્યા વગર વર્તજો. સોમ એ બેધારી તલવાર છે તે સામેવાળાને પણ નુકસાન પહોંચાડી શકે અને આપણને પણ તેથી આપ તેની સાથે સામાન્ય વર્તન કરજો અને હા જોઈ વિચિત્ર ઘટના જુઓ તો મને ફોન કરજો. અનિકેતે કહ્યું ઠીક છે હું જાઉં છું પણ શું આપ મને કહેશો કે આપે મને રાવણ વિષે લેક્ચર લેવા શા માટે કહ્યું ? પ્રદ્યુમ્નસિંહે કહ્યું સમય આવે તેનો ઉત્તર આપને મળી જશે અત્યારે તેની ચિંતા ન કરશો. પ્રોફેસરના ગયા પછી રામેશ્વરે કહ્યું કે તેના મન પરથી હજી હત્યાનો ભાર ઉતર્યો નથી શું તેને કોઈ ઈશારો આપવો છે કે આ હત્યા તેણે કરી નથી. પ્રદ્યુમ્નસિંહે કહ્યું ના હજી સમય નથી થયો તેને આ બાબત જણાવવાનો. રામેશ્વરે કહ્યું આ અપરાધબોધ ને લીધે તે કોઈ ખોટું પગલું ભરી લે તો ? પ્રદ્યુમ્નસિંહે કહ્યું હજી તેને તમે બાળરૂપમાં જોઈ રહ્યા છો તેને પોતાની રીતે લડવા દો અને હા આ હત્યાનો બોજ પોતાના મન પર ન રાખશો આપે ફક્ત સોમની રક્ષા માટે હત્યા કરી છે અને તે આપનું કર્મ હતું. આપ હવે જટાશંકર ને શોધો અને હા સોમનો મિત્ર તેનો પીછો ન કરે એવું કંઈક કરો.


Rate this content
Log in

Similar gujarati story from Drama