शिव
शिव
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મારું મનગમતું ગીત કે જેના ઉપર નૃત્ય કરેલું
હે ચંદ્રમૌલિ ! હે ચંદ્રશેખર !
હે શંભુ ત્રિલોચન ! હે સંકટ-વિમોચન !
હે ત્રિપુરારિ અર્ચન !
જય જય હે શંકર, હે ભસ્માંગ-સુંદર !
હે પશુપતિ હરિહર ....
તે શૈલરાજે કીધું છે દ્ર્ઢાસન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન...
કંઠે ઘરી છે તેં સર્પોની માળા,
તવતાડવે બાજે ડમરૂ નિરાળા,
પ્રભુ ! વિશ્વ કાજે તે શિર ગંગ ધારી,
પર્વત-દુહિતાની પૂજા સ્વીકારી...
જગ-મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પથ કંઈ પ્રસાર્યા...
હે ચંદ્રમૌલિ....
મોત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?
અસ્તિત્વ તારું સમજાવ અમને
બસ હવે બહું થયું તું જ સાંભળ અમને
તારે મારવા જ છે ને કહી દે અમને
પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાખને
આ રોજ રોજ મરે છે તે નથી ગમતું
શ્રાવણ માસે શા સારું પજવા તને
વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને
આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું
ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને
માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને
આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું
પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને
જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને
તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું
તને બેસાડ્યો મંદિરીયામાં હવે તો સહાય કરને
તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને
ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું.