શાંતિ નો વાહક : જુનાગઢ કિલ્લો
સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો, ચારે-બાજુ રાતાશ જ દેખાતી હતી.પંખીઓ પોતાના માળા તરફ આવા પ્રયાણ કરી ચૂક્યા હતા. મંદ મંદ પવનની લહેરખી વાતાવરણ વધારે મોહક બનાવી દીધું હતું. જૂનાગઢ કિલ્લાની અંદર આજે પૂનમ ની રાતનો મેળાવડો જામ્યો હતો. રંગ-રંગ નાં ભાત-ભાત કપડાં પહેરી નગરજનો ખુશી ઉત્સવ મનાવી રહ્યા હતાં.
આજે રાજાના ઘરે દીકરાનો જન્મ થયો હતો. તેના સમાચાર મળતા જ નગરવાસીઓ નો ખુશી પાર ન હતો રહ્યો. રાજા સૌથી ઊંચા ઝરૂખામાં ઊભાં હતાં. પોતાના આનંદમાં પોતાના ઉત્સવમાં નગરજનો પ્રેમ દેખી ભાવવિભોર થઈ ગયા હતા, પણ તેમને એક ચિંતા પણ થતી હતી. કિલ્લાના આગળના ભાગે આવેલ યુદ્ધના મેદાનની પેલી કોર તેમના પાડોશી રાજયો માં હચમચ થઈ રહી હતી. એવો ગુપ્તચર સમાચાર લઈ આવ્યો હતો. તેની વિચારણામાં તે ડૂબી ગયા હતા.
હવે શું કરવું અને કેવી રીતે આ પાદરે ઉઠેલા તોફાન ત્યાં જ સમાવી દેવો તેનો મનમાં ને મનમાં વિમર્શ કરી રહ્યો હતો. આચનક તેને નગર ને છેક ખૂણે રહેતો એક કુંભારની વાત યાદ આવી.
તુરંત રાજા એ સૈનિકો ને આદેશ કર્યો, કે જાઓ કે પેલા નગર ના છેલ્લા ભાગમાં રહેતા આપણા નગર નાં જૂના કુંભારને બોલાવી લાવો. સૈનિકો ત્યારે જ રાજા નાં આદેશ અનુસાર કુંભાર ત્યાં જઈ પોહોંચે છે, કુંભાર તે સઘળી વાત કરે છે અને કહે છે આ ઘડી એ જ રાજા તમને બોલાવી રહ્યા છે...... ક્રમશ