ખાટીસીતારા કોઈ જગ્યા નું નામ માત્ર ન હતુ. તે એક તપસ્યા નું સ્થળ હતું. ત્યાં ના તપસ્વી તથા લોકસારથી ફાઉન્ડેશન પ્રમુખ મુસ્તુ ભાઈ.
મૂળ ભાવનગર અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ માં માસ્ટર ઓફ સોશ્યિલ વર્ક (MSW) કરી. સેવા ની શોધ માં નીકળી પડેલા મુસ્તુ ભાઈ આવી પોહોંચ્યા ખાટીસીતારા ગામ. એક બાવળનાં નીચે થી સેવા ની શરૂવાત કરેલી. થોડા દિવસો બાદ ત્યાં ના લોકો એ એક છાપરું બાંધી આપ્યું. 20મી સપ્ટેમ્બર, 2012 ના રોજ પ્રેમ રૂપી આ પરિવાર બનાવાની શરૂવાત થઈ હતી. તે દિવસ થી તેમના ખાટીસીતારા માં સેવાયજ્ઞ ની શરૂવાત કરેલી અને તેમના અથાગ પ્રયત્નો થી આજે ગામ માં સોલાર-પેનલ હોય કે, પાણી ના પ્રશ્નો, પ્રાથમિક શાળા ની શરૂવાત તેનું સફળ સંચાલન, ત્યાં ના બાળકો માટે હોસ્ટેલ, ગામ ના પ્રશ્નો નિવારણ માટે તેઓ સદાય ખડે - પગે રહે છે. પોતાનું સમગ્ર જીવન ગામ લોકો ની સેવા અર્પણ કરી દીધું છે. આ હતો મુસ્તુ ભાઈ નો ટૂંકો પરિચય પણ આ ઉમદું વ્યક્તિત્વ ધરાવતા મસ્તુ ભાઈ ને રૂબરૂ મળીયે અને ખાટીસીતારા ની મુલાકાત લઈએ ત્યારે જ વધુ ખ્યાલ આવે.
- મહાવીર સોઢા
*મારી ડાયરી* સંગ્રહ માંથી