રામ નવમી
રામ નવમી
એક નજર ફેરવી રાજ દરબારમાં હાજર રહેલા દરેક ને ખબર પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુવંશ ની પરંપરા ચાલતી શૌર્યથી શોભાવી રાજગાદીને, રાજા દશરથે પ્રાણ પુત્ર વિયોગમાં ત્યજ્યા. ન્યાય તોળીને પ્રજાવત્સલને સમદૃષ્ટિ નીરખે રાજ રખેવાળ તે હતા ભરત ...જુએ અમૂલ દૃષ્ટિથી સૌને તે, વિષમતાને જોઈ એક સાર, તે હતા રાજા રામ તો પણ કરી બેઠા સીતાજીને અન્યાય કે રામ તમે સીતાજીની તોલે ન આવો.
રામ વિયોગ સહ્યો ભરતે ને રાજગાદી પર રામના પગરખાં રાખી રાજસિંહાસનની ગરિમા દેખી, કર્યો જેણે આ ધરતી પર ન્યાય ને દીધું ભાતૃપ્રેમનું ઉત્તમ ઉદાહરણ. પૂછે લવ કુશ આવી ચાલો તલવારની ધારે રાજવી, હેતવર્ષા કરો સદા અનરાધાર, સૂર્યવંશી અખંડ પ્રતાપી વીર માથું મૂકે પણ ત્યજે ન હુંકાર, દુઃખ દર્દ જોઈને વિરમે નાથ, ન જુએ પીડાને ખોલે ભંડાર .. પણ ના દીધો માતા સીતાજીને ન્યાય પિતાશ્રી !! રાજવી પરંપરા રઘુકુળ રીત સદા ચલી આઇ. પ્રાણ જાયે પર વચન ન જાયે ! સતયુગ માં રામ રાજ્ય રહ્યું. સૂર્યવંશીઓ નો મહિમા ગવાયો.