પૃથ્વીનો ચક્કર
પૃથ્વીનો ચક્કર
એકવાર અકબર બાદશાહે બીરબલને પૂછ્યું “બીરબલ કહે તો મારે પૃથ્વીની પરિક્રમા લગાવવી હોય તો કેટલો સમય લાગે ? અને હા ચોક્કસ સમય કહે એક મીનીટ પણ આઘોપાછો નહી ચાલે.
બિરબલે મુસ્કુરાતા કહ્યું “જહાંપનાહ આપ ૨૩ મીનીટ અને ૫૬ સેકન્ડમાં પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરી શકો છો ?”
અકબરે કહ્યું “એટલે ! એક દિવસમાં પણ ચાર મીનીટ ઓછી હોય એટલા સમયમાં તે કેવી રીતે શક્ય છે ?”
બિરબલે હસતામુખે કહ્યું “શક્ય છે મહારાજ જો આપ સવારે સુર્ય સાથે જ ઉઠો અને અને સુર્ય સાથે એના જેટલી જ ઝડપે જો તમે દોડશો તો ચોક્કસ પણે તમે સુર્યની જેમ જ પૃથ્વીની પરિક્રમા ૨૩ મીનીટ અને ૫૬ સેકન્ડમાં પૂર્ણ કરશો."
(બાળકો પૃથ્વીને એક ચક્કર પૂર્ણ કરવા ૨૩.૫૬ સેકન્ડ લાગે છે પણ આપણે ઘડિયાળ સરખાવવા ૨૪ કલાકનો એકદિવસ ગણ્યો છે તેથી જ તો બાકીની વધેલી ૪ મીનીટોને મળાવીને દર ચાર વર્ષે લીપ ઇઅર આવે છે જેમાં ફેબ્રુઆરી મહિનામાં ૨૮ ને બદલે ૨૯ દિવસ હોય છે!