મૃત્યુની હકીકત
મૃત્યુની હકીકત
શું તમે જાણો છો કે તમારા અંતિમ સંસ્કાર પછી શું થશે ? થોડા કલાકોમાં રડવાનો અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરિવારજનો સગાંસંબંધીઓ માટે હોટલમાંથી ભોજન મંગાવવામાં વ્યસ્ત હશે. પૌત્રો-પૌત્રીઓ દોડતા અને રમતા હશે.
એક યુવક અને એક મહિલા રોમેન્ટિક સ્મિત સાથે ફોન નંબરની આપલે કરી રહ્યા હશે. કેટલાક પુરુષો સૂતા પહેલા ચાલવા માટે નીકળી ગયા હશે અથવા ચા પીવા ગયા હશે.
તમારો પાડોશી એ વિચારીને ગુસ્સે હશે કે તમારા લોકોએ વિધિની નક્કામી વસ્તુઓને તેમના દરવાજાની નજીક ફેંકી છે. કોઈ સંબંધી તમારા પુત્ર - પુત્રી સાથે ફોન પર વાત કરતો હશે કે કોઈ કટોકટીની પરિસ્થિતિને કારણે રૂબરૂ આવી શકશે નહીં.
બીજા દિવસે રાત્રિભોજન સમયે, થોડા સંબંધીઓ ઓછા થયા હશે, અને થોડા લોકો ખીચડીમાં પૂરતું મીઠું ન હોવાની ફરિયાદ કરતા હશે. કોઈ સંબંધી અંતિમ સંસ્કાર વિશે ફરિયાદ કરતો હશે કે તેણે તેના હિસ્સાના થોડાક રૂપિયા વધુ ખર્ચ્યા છે.
ભીડ ધીમે ધીમે ઓગળવા લાગશે..
આગામી દિવસોમાં...
તમે મરી ગયા છો તે જાણ્યા વિના, તમારા ફોન પર કેટલાક કૉલ આવતા હશે. તમારી ઓફિસ તમને બદલવા માટે કોઈને શોધવા માટે ઉતાવળ કરતી હશે.
એક અઠવાડિયા પછી...
તમારા મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, તમારા કેટલાક જિજ્ઞાસુ ફેસબુક મિત્રો વિચિત્ર ઉદાસી સાથે તમારી છેલ્લી પોસ્ટ શોધી રહ્યા હશે.
બે અઠવાડિયામાં તમારા પુત્ર અને પુત્રીની કટોકટીની રજા પૂરી થયા પછી કામ પર પાછા ફરશે. મહિનાના અંતે, તમારા જીવનસાથી કોમેડી શો જોતા જોતા હસતા હશે.
આવનારા મહિનાઓમાં, તમારા અતિ ગાઢ અને નજીકના સંબંધો સિનેમા અને બીચ પર પાછા ફરશે.
જેમ એક મોટા વૃક્ષના સૂકાઈ ગયેલા અને ખરી ગયેલા પાનની જગ્યા, નવા પાને લીધી હશે, એમ દરેકનું જીવન સામાન્ય થઈ ગયું હશે.
તમે જેના માટે જીવો છો અને મરો છો, તેમના જીવનમાં કોઈ ખાસ ફરક નહીં આવ્યો હોય, તે બધું ખૂબ જ સરળતાથી અને ઝડપથી થયું હશે.
વરસાદ શરૂ થયો હશે, ચૂંટણી આવી રહી હશે, બસો પર ભીડ હંમેશની જેમ હશે, એક અભિનેત્રીના લગ્ન થઈ રહ્યા હશે, તહેવાર આવી રહ્યો હશે, વર્લ્ડ કપ ક્રિકેટ પ્લાન મુજબ ચાલી રહ્યો હશે, અને ફૂલો સંપૂર્ણ પણે ખીલી રહ્યા હશે.
તમને આ દુનિયા આશ્ચર્યજનક ગતિએ ભૂલી જશે.
આ દરમિયાન, તમારી પ્રથમ વર્ષની પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
આંખના પલકારામાં વર્ષો વીતી ગયા હશે અને તમારા વિશે વાત કરવા માટે પણ કોઈ નહિ હોય.
એક દિવસ, ફક્ત જૂના ફોટા જોતા જોતા, તમારા વતનમાં, તમારો કોઈ નજીકનો એકાદ મિત્ર તમને યાદ કરશે.
તમે જે હજારો લોકો સાથે પરિચિત થયા હશો, તેમાંથી માત્ર એક જ વ્યક્તિ, જેમ તમે ક્યારેક હતા, ભાગ્યે જ કોઈની સાથે તમારા વિશે વાત કરતો હશે.
જો પુનર્જન્મ સાચો હશે, તો તમે કદાચ બીજે ક્યાંક રહેતા હશો, કોઈ બીજા વ્યક્તિ તરીકે.
નહિંતર, તમે કંઈ નહીં રહેશો અને અંધકારમાં ડૂબી જશો દાયકાઓ સુધી.
હમણાં જ મને કહો...
લોકો તમને સરળતાથી ભૂલી જવાની રાહ જોઈ રહ્યા છે, તો પછી તમે કોના માટે દોડો છો ? અને તમે કોની ચિંતા કરો છો ?
તમારા જીવનના મોટાભાગના ભાગમાં, કહો કે 80% ભાગમાં, તમે વિચારો છો કે તમારા સંબંધીઓ કે પડોશીઓ તમારા વિશે શું વિચારે છે.
શું તમે ફક્ત તેમને સંતોષવા માટે જીવન જીવો છો ?
તમારા મૃત્યુ સમયે એકજ વ્યક્તિ તમારી સાથે હશે, અને તે હશો તમે પોતે.
જીવન ફક્ત એક વાર છે મિત્રો, માટે આનંદથી જીવો અને મોજ કરો.
