દિવાસો
દિવાસો
દિવાસાનાં દિવસે દેસાઈઓને ત્યાં દૂધપાક પુરી વડા કે પાત્રાનું જમણ હોય. પહેલાંનાં જમાનામાં દેસાઈઓને ત્યાં દૂઝાણું ઘરે ઘરે હતું. એમનાં ગોવાળો માલિકને ત્યાંથી દૂધ, ચોખા, ખાંડ લઈ જઈ ભેગાં મળીને સીમમાં દૂધપાક બનાવીને ખાતાં. સાંજે નવા કપડાં પહેરીને ઢીંગલાની જાન કાઢી ઢીંગલી જોડે લગ્ન કરાવતાં ને અંતે પાણીમાં વિસર્જન કરવામાં આવે. બરાબર ગીતની રમઝટ પણ બોલાવતાં. મેં મારાં દાદી પાસે આ સાંભળેલું.
આજે દિવાસો
લગ્ન કરાવું
ઢીંગલા ઢીંગલીનાં !
તળાવ કાંઠે
આપું વિદાય.