વિચાર-શુદ્ધિ
વિચાર-શુદ્ધિ
ઘરનાં મંદિરમાં રોજ દીવો કરી,
ઘરસંસારને ઉજ્વળ બનાવે એ ગૃહલક્ષ્મી,
અપશબ્દોથી અંધાકર ફેલાવી,
એને અપમાનિત કરતાં કેમ વાર ન લાગે ?
પરિશ્રમની સીડી પકડી હંમેશાં ચાલે,
દરેક પરિસ્થિતિમાં કુટુંબને સંભાળે,
આમ ઘણું બધું કહીએ છતાં પુરુષને બિરદાવતાં,
આપણા શબ્દો કેમ ખૂટતાં લાગે ?
સહુ કોઈ ખૂણે ખાંચરેથી મલીનતા દૂર કરી,
ઘરને આમ કંચન જેવું રાખે,
મનમાં નફરત-તિરસ્કાર અને અહંકારને,
પ્રેમની સાવરણીથી કોણ વાળે ?