સૂર્યાસ્ત
સૂર્યાસ્ત
કોણ કહે છે કે સૂર્યાસ્ત થાય છે !
લાગે છે એક પ્રક્રિયા જ થાય છે !
પૃથ્વીની પ્રદક્ષિણાના કારણે જ તો,
સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે,
જાગૃત થવા સમય આપી જાય છે,
સૂર્ય મનોમંથન કરાવી જાય છે,
દિવસના કરેલા આપણા જ કર્મો !
મંથન કરવા રાત્રી આપી જાય છે,
કોણ કહે છે કે સૂર્યાસ્ત થાય છે !
નવી સવારનો સંદેશો આપી જાય છે,
જ્ઞાન ચક્ષુનો સમય આપી જાય છે,
નિન્દ્રાધિનની રાત્રી બની જાય છે.