શ્વાસ
શ્વાસ
જન્મથી મૃત્યુ સુધી સાથ આપતો
આવન જાવન એની જ
જીવન ગણાતું..
તો આ શ્વાસ એટલે શું ?
કેમ ન સમજાયું ?
આ હવામાંથી પ્રાણવાયુ લઈને,
છોડવો એ જ તો શ્વાસ કહેવાય...
અરે...
તમે તો વિજ્ઞાન ભણાવવા બેઠા..
એમ નહીં..
પેલા કોમાના દર્દી પણ શ્વાસ લે
અને વેન્ટિલેટર પર રાખેલ વ્યક્તિ પણ
પહેલા માનસિક દર્દી પણ..
ચાલો...
હું મારી જ વાત કહું...
આ શ્વાસ એટલે
જીવવા માટે જરૂરી
પણ
જીવવા માટે હ્રદયમાં સ્નેહના સ્પંદનો,
લાગણી અને છલોછલ પ્રેમ..
રક્તની જગ્યાએ જાણે ...
કોઈ ખાસનો સ્પર્શ ..
રકતમાં ભળી ગયો...
અને
આ પ્રાણવાયુને બદલે...
પ્રિયતમનો વિશ્વાસ...
હા !
એજ જીવન કોઈના પ્રેમમાં જીવવું
એ જ તો છે શ્વાસ.

