પ્રશ્ન
પ્રશ્ન
(છંદ : સ્રગ્વિણી)
પાંદડા સૌ ખરી રે ગયાં ઝાડનાં,
તોય તે ક્યાં પડી રે ગયાં ઝાડવાં ?
નીર ખારાં થયાં સૌ નદીઓ તણાં,
તોય ભૂલ્યા શું ગીતો બધાં ઝરણાં ?
સૂર્ય આડે થયાં વાદળાં કાળુડાં,
તોય તે તેજ ઘટ્યાં શું એ ભાનુના ?
ઈશ્વરી તત્વ રે એમ ના ઝૂકતાં,
રે ભલેને મોટાં સંકટો આવતાં.
તો પછી નાનકાં સંકટો આવતાં,
અર્જુનીયા શું કામે તમે હારતાં ?
