પ્રણયનો પ્રકાશ
પ્રણયનો પ્રકાશ
કોણ કહે છે કે પ્રણયની આગ હોય છે !
ના..ના..એ તો પ્રણયનો પ્રકાશ હોય છે,
પ્રેમીપંખીડાના હૃદયમાં દીવડો ધબકે
ત્યારે પ્રણયનો પ્રકાશ ઝબકે,
પ્રણયના પેચ થતા જાય
પ્રણયનો દીવડો પ્રકાશતો જાય,
સાચવે જો પોતાનો પ્રણય દીવડો
એ જ તો
પ્રેમમાં સફળતા મેળવતો જાય.