નારંગી રંગ - સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાજી
નારંગી રંગ - સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાજી
નારંગી શક્તિશાળી રંગ તરીકે જાણીતું,
ઉત્સાહ અને ઉત્તેજનાનું પ્રતીક ગણાય,
તે સર્જનાત્મકતામાં વૃદ્ધિ કરે છે
તે સૂર્યાસ્તનો રંગ છે,
નારંગીમાં પોષક તત્વ છે,
તે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં લાભકારક માનવામાં આવે,
માતા કાલરાત્રિ આ સ્વરૂપ અત્યંત ભયાનક કહેવાય,
તે દુષ્ટનો વિનાશ કરનારા છે,
જે ભક્તો મન, કાયા અને વચનથી પવિત્ર અને શુદ્ધ રહે,
તેમના માટે માતાજી શુભ માનવામાં આવે
તેમને શુભંકરી તરીકે પણ ઓળખાય છે.
મંત્ર: ૐ ક્લીં કાલરાત્રિ ક્ષૌં ક્ષૌં મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા