મોરનો લીલો રંગ (આઠમું સ્વરૂપ મહાગૌરી માતાજી)
મોરનો લીલો રંગ (આઠમું સ્વરૂપ મહાગૌરી માતાજી)
મોરનો લીલો રંગ (આઠમું સ્વરૂપ મહાગાેરી માતાજી).
આ રંગ ઉજવણી અને આનંદનો કહેવાય છે,
તે પરિપૂર્ણતાનો રંગ માનવામાં આવે છે,
મહાગૌરી માતાજી શુદ્ધતા અને આંતરિક સુંદરતાનું પ્રતિનિધિત્વ દર્શાવે છે,
ભગવાન મહાદેવે એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ શ્વેત રંગનો વરદાન આપ્યો,
ગંગાજીના પવિત્રજળથી ધોવાયા ત્યારથી તે મહાગૌરી તરીકે પ્રસિદ્ધ થયા,
તે એમના ભક્તોની તમામ મનોકામના પૂરી કરનારા છે બધી મુશ્કેલી જીવનમાંથી દૂર કરે છે,
તે સૌથી શુભ દિવસ ગણાય,
અષ્ટમી કે દુર્ગા અષ્ટમી તરીકે જાણીતું કોલકાતામાં દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ ધરાવે છે,
તે દિવસ હવનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે,
સર્વ મંગલ માંગલ્યે,શિવ સવાર્થ સાધિકે શરણ્યે ત્રમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે.