મનને જ્યારે ગમે
મનને જ્યારે ગમે
મનને જ્યારે તન સ્પર્શ છે, ત્યારે તે અહેસાસ કાગળ પર ઉતરી આવે છે,
કાગળ પરના આ અહેસાસો સમય પર ઉતરી આવે છે,
સમયની આ વાત મુલાકાતને શોધી લાવે છે,
મુલાકાત સાથે સવાંદની વાત ઉભરી આવે છે,
સંવાદની વાચામાં મનના ભાવ છલકી આવે છે,
ભીંજાયેલી ધરતી પર વરસાદની બુંદો છમ છમ ટપકી આવે છે,
બસ એક આ બધા શબ્દો અને
મનની મુલાકાત લઈને આવે છે,
અને મારું જીવન હેમખેમ જીવાય જાય છે.