મીરાં - પ્રેમની અમરતા
મીરાં - પ્રેમની અમરતા
લોક કહે મીરાંના જીવનમાં ભરી અદાકારી,
પણ એ તો હતી મીરાંના મોહનની કલાકારી.
દરેક શ્વાસમાં મોહનના વિશ્વાસની દરકારી,
એટલેજ મીરાંને મોહનની પ્રીત સદા પ્યારી.
ભલે રહે આખી આખી રાતો મનમાં બેકરારી,
પણ મીરાં માટે મોહનની યાદો જ છે નિરાળી.
મોહનની એક એક વાતો ચુમે મીરાંની જુબાની,
એટલેજ મીરાંના અહેસાસમાં એ વાતો સમાણી.
ભલે રહી મીરાંનો ગિરિધર ગોપાલ લોકવાણી,
પણ મીરાં જ જાણે શું છે આ સ્નેહની કહાની.
મીરાં ભલે ગોપાલમાં પોતાની જાતને ભૂલી જવાની,
પણ યુગો યુગો સુધી આ પ્રેમની અમરતા રહેવાની.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...