કર્તવ્ય પથના પાઠ
કર્તવ્ય પથના પાઠ
કિંગ્સ વેથી રાજપથ અને રાજપથથી કર્તવ્યપથની સફર એક વર છે
ગુલામી માનસિકતા તોડવા માટેનું એક આપણું અલગ તેવર છે
સમયનું ચક્ર છે કેવું અવિરત, સમય જ છે માત્ર સાચો સિકંદર
પ્રજાએ પણ સારા કર્તવ્ય થકી, કર્તવ્ય પથની ભાવનાને કરવાનું ઉજાગર છે
કર્તવ્ય પથ સુધી પહોંચવાની સફર ખૂબ જ અર્થસભર છે
સંદેશ સમજો, દરેકે રહેવાનું દેશ ભાવનાથી તરબતર છે
આઝાદી આપણને કેમ મળી એ તો આપણે ભણ્યા છીએ ખૂબ
ખરેખર તો આપણે ગુલામી કેમ આવી પડી એ ભણવું વધુ બહેતર છે