Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Tragedy

3  

ચૈતન્ય જોષી

Tragedy

દુઃખ

દુઃખ

1 min
156


દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણાં જ આપણને તરછોડે.

દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને કોઈ ભૂલી જઈ વખોડે.


સુખસાહ્યબી તો જે મળવાની હશે એ આવીને રહેવાની છે,

દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ કરી અપમાન ને એ વગોવે.


જેના માટે ઘસી નાખી હોય જાત આપણે ત્યાગ કરીને વળી,

દુઃખ ત્યારે થાય છે જ્યારે એ જ અપજશના બાણ મારે.


ઉપકાર કરી કરીને માનવતા જેના માટે આપણે દેખાડી હોય,

દુઃખ ત્યારે થાય છે જ્યારે એ જ સામે આવીને ઊભા રહે.


હોય ગરીબી ભરડો લેતી માંડમાંડ બે ટંક પેટપૂરતું પામીએ,

દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ વસમાં વેણ સમે ઉચ્ચારે.


Rate this content
Log in