ડિયર જિંદગી
ડિયર જિંદગી
કોઈ પૂછે હાલ તો આપણે કહીએ મોજે દરીયા,
બસ જીવનમાં અમે તો સુખનો ચારો ચરીયા.
ક્યારેક દુઃખની પાનખર આવી તો પણ,
અમે તો અનુભવના ભાથા ગુંજે ભરીયા.
કોઈ યાદ કરશે મૃત્યુ પછી પણ અમને જરા,
એવા બે ચાર સારા કામ અમે તો કરીયા.
નથી કર્યા કદી એવા કામ, ઈશ્વર થાય નારાજ,
બસ અમે તો ગીતાના વચનો કાને ધરીયા.
માતા પિતા અને સગા સ્નેહીઓને કામ આવ્યા અમે,
ભલે ને અમે કદી ચારો ધામ નથી ફરીયા.
લાખો રૂપિયા ભલે નથી કમાયા અમે કદી,
પણ સદા દિન દુઃખીયાના હૈયા અમે ઠારિયા.
ડીયર જિંદગી અમે નથી કદી તારી ફરિયાદ કરી,
અમે તો હંમેશા તારી મરજી મુજબ જીવીયાં !