Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divakar Narendrakumar Badheka

Inspirational

4  

Divakar Narendrakumar Badheka

Inspirational

ભુલ

ભુલ

2 mins
26



હરિ એ આપેલ દેહની કિંમત ના આંકવી એ ભૂલ,

કર્મ કરતા નસીબ જોરે બેસવું એ ભૂલ,

પરોઢનો સૂર્ય, પક્ષીઓનો કલરવને ન માણી,

ઘરદ્વાર વાસી રાખવાએ ભૂલ.


આત્મા અને મનને યોગ, ધ્યાનનો,

ખોરાક ન આપવો એ ભૂલ,

ગરીબ જોડે વ્યવહારમાં રકજક કરવી એ ભૂલ,

ખુરશી ખાતર પ્રજાને લૂંટવી એ ભૂલ.


મહામારીમાં પણ મતબેન્ક જ જોવી એ ભૂલ,

સ્વાર્થ ખાતર સંબંધ રાખવા એ ભૂલ,

અવળે રસ્તે જતા મિત્રને ન રોકવો એ ભૂલ,

સમય, સાથ ને સગપણની કદર ન કરવી એ ભૂલ.


યાદ કરી સંદેશા પાઠવનારને અવગણવા એ ભૂલ,

હું જ સાચો, તમે ખોટા એ,

મિથ્યાભિમાનમાં રાચવું એ ભૂલ,

દેખાડા માટે મોટું થવું એ ભૂલ,

જરૂરિયાત કરતા શોખ માટે નાણાં વેડફવા એ ભૂલ.


ભુખ્યાને ભૂખ્યા રાખી ખોરાકને,

એંઠવાડ કરવો એ ભૂલ,

સનાતન ધર્મને ત્યજી પર ધર્મ સ્વીકારવો છે,

એ ગુનો નથી એ અધર્મી ભૂલ.


રાષ્ટ્ર,જવાન ને કિસાનને યોગ્ય,

સત્કાર ન આપવો એ ગંભીર ભૂલ,

સ્વસંસ્કૃતીની યોગ્ય ગરિમા ન જાળવી,

પર સંસ્કૃતિનું આંધળું અનુકરણ એ ભૂલ.


પ્રથમ ભ્રાતૃ કુટુંબને સ્થાને અન્યત્ર દાન કરવું એ ભૂલ,

સ્વગોત્ર, કુળ કે સમાજનું જ્ઞાન ન હોવું એ ભૂલ,

પ્રયત્ન ન કરી હારનો દોષ ભગવાનને દેવો તે ભૂલ,

ઉપકારને બદલે અપકાર કરવો એ ભૂલ.


મન ને મારી ને જીવવું એ ભૂલ,

ખુશી માટે નઈ પણ કરવા ખાતર કરવું એ ભૂલ,

એક ઠોકરને લઇ નિરાશાની ગર્તામાં ડૂબવું એ ભૂલ,

માનવતા ભૂલી આચરવું એ અનૈતિક ભૂલ.


નૈતિકતા ભૂલી સ્ત્રી,બાળકો સાથે ક્રૂરતા આચરવી,

એ નથી ક્ષમ્ય ભૂલ પણ છે ગુનો,

દેશ કાજે શહીદી વહોરનાર,

એક ને પણ ભૂલવા એ અમાનવીય ભૂલ.


મા ભોમ,રાષ્ટ્રધ્વજ માટે સમય ન આપવો એ ભૂલ,

માત્ર અન્યાય સહેવો જ નઈ પણ જોવો એ પણ ભૂલ,

બહારના ઘોંઘાટમાં અંતરનાદને,

ન સાંભળવો એ પણ એક મુર્ખતાભરી ભૂલ.


નિસ્વાર્થ પ્રકૃતિનો ગણ ન કરવો એ મોટી ભૂલ,

ફરજ પ્રત્યે આળસુ ને મતલબી થવું એ પણ ભૂલ,

જન્મદાતા, ગુરુજન કે સ્વજન જેને નિસ્વાર્થ ટેકો દીધો,

તેને બોજ ગણી તરછોડવા એ અક્ષમ્ય ભૂલ.


મહામૂલો માનવદેહ આપી ધન્યધરા દેનાર,

ઈશ્વરનો દૈનિક આભાર ન માનવો એ કૃતઘનતા ભૂલ ને,

જીવન જીવતા જીવન લક્ષ્ય ભૂલી જીવન મૂલ્યોને,

કોઈપણ ભોગે છોડવા એ મૃતપાય હોવા જેવી ભૂલ.



Rate this content
Log in