આજનાં સંતાન
આજનાં સંતાન
ભૂલી ગયાં ભટકી ગયાં કોઈ કિનારો ના મળે,
જે સ્વાર્થમાં ડૂબીને ઘરડાં માવતરને તરછોડે.
લાડી, વાડી ને હો ગાડી તોય દીન પણે ઠરે,
જે માવતર એ જન્મ દીધો એ દુઃખી થૈ ટળવળે.
દેવ કીધાં પથ્થરોને પાથરી પાલવ અરે,
એ માની મમતા કેરો પાલવ ભીંજવ્યો રે આંસુડે.
સંઘર્ષો જીવનભર કરી વટવૃક્ષ થૈ છાંયો ધરે,
રે કળજુગે આશ્રય વિનાનો બાપ અહિયાં રળજળે.
જેવું કરો એ પામશો એ વાત ભૂલશો ના અરે,
આજના સંતાન છો મા-બાપ ભાવિની પળે.
