સંજીવની
સંજીવની
“સંજીવની”
સુરત શહેરમાં રહેતો સંજય પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે ઘરમાં શું ચાલે છે એની તેને ખાસ ખબર જ ન પડતી. પત્ની, બે સંતાનો અને વૃદ્ધ માતા — એટલો જ તેનો પરિવાર.
માતા, રમાબા, આખો દિવસ બાલ્કનીમાં બેસી રહેતી. હાથમાં જૂની તસવીરો, ગીતાની ચોપડી અને આંખોમાં સ્મૃતિઓ.
ઘર ભરેલું હતું, પણ તેમના મનમાં એક અજાણી ખાલીપો હતો.
એક સાંજે સંજયને મિત્રએ સલાહ આપી —
“યાર, તારી મમ્મી માટે કોઈ સારા વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી દે. ત્યાં તેમને કંપની પણ મળશે. અને તને કોઈ રોકટોક વગર,તારી પત્ની સાથે એકલા રહેવાની મજા આવશે ”
સંજય વિચારમાં પડી ગયો.
ઘરે આવી પત્નીને વાત કરી. તેણીએ અસ્પષ્ટ જવાબ આપ્યો,
“જો તમને યોગ્ય લાગે તો…”
અગલા રવિવારે સંજય રમાબાને વૃદ્ધાશ્રમ બતાવવા લઈ ગયો.
જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે એક ખૂણે બેઠેલા વૃદ્ધે હળવેથી પૂછ્યું,
“બેટા, તું મમ્મીને અહીં મૂકવા આવ્યો છે?”
એ પ્રશ્ન સંજયના હૃદયમાં તીરની જેમ વાગ્યો.
પરંતુ રમાબાએ શાંતિથી કહ્યું,
“સંજુ, હું તને બોજ નથી બનવા માંગતી. જો મારા અહીં આવવાથી તને સુખ મળે, તો હું દૂર રહીને પણ ખુશ રહીશ.”
એ ક્ષણે સંજયને પોતાનું બાળપણ યાદ આવ્યું —
જ્યારે તે બીમાર પડતો, ત્યારે રમા મા આખી રાત જાગીને તેની બાજુમાં બેસતી.
જ્યારે સ્કૂલમાં ફી ભરવાની તકલીફ હતી, ત્યારે માતાએ પોતાની સોનાની ચુડીઓ પણ વેચી દીધી હતી.
સંજયની આંખો ભીની થઈ ગઈ.
તે માતાનો હાથ પકડીને બોલ્યો,
“મા, સાચી ખુશી તો તમે છો. તમારા વગર ઘર શું કામનું?”
તેઓ સીધા ઘરે પાછા ફર્યા.
ઘરે આવી સંતાનોએ દાદીને ચાંપીને કહ્યું,
“દાદી, તમે ક્યાં ગયા હતા? અમને વાર્તા સાંભળવી છે!”
રમાબાના ચહેરા પર સ્મિત ફરી ખીલી ઉઠ્યું.
એ સ્મિતમાં ઘરનો સાચો પ્રકાશ હતો.
એ દિવસ પછી સંજયે પોતાના સમયનું આયોજન બદલ્યું.
સાંજે એક કલાક “પરિવાર સમય” માટે નક્કી થયો —
જ્યાં મોબાઈલ બંધ અને વાતચીત ચાલુ.
અને એ દિવસથી સંજયના ઘરને સંજીવની મળી.
સુરતનું એ મકાન હવે સાચા અર્થમાં “ઘર” બની ગયું.
સંજય ને સમજાયું કે, ઘરડી માં કોઇના
પરિવારમાં જવાબદારી નથી હોતી
એ ની હાજરી હોવો એ તો એવો અનેરો વડલો છે,
જ્યાં સૌ મળીને સુખ-દુઃખ વહેંચે છે.
કોઈ નિર્ણય લેતા પહેલાં દિલ પૂછે છે —
“શું હું સાચું કરું છું?”
અને દિલનો જવાબ હંમેશા પરિવાર તરફ જ લઈ જાય છે.
પરિવાર તેના દરેક સભ્ય માટે સંજીવની સમાન છે —
દુઃખમાં સહારો, સુખમાં સહયાત્રી.
આમ હવે દરેક
શુક્રવાર ની સાંજે સંજય માટે “પરિવાર સમય” શરૂ થયા પછી ઘરમાં વાતાવરણ બદલાઈ જતું હતું.
ઘરમાં હાસ્ય વધ્યું, અંજયે સાંભળેળી વાર્તાઓ ફરી જીવંત થઈ.
રમાબા હવે માત્ર બાલ્કનીમાં બેઠેલા ઘરડા બા નહોતા.
તે ફરીથી ઘરની ધડકન બની ગયા.
એક શુક્રવારે સંજય ઓફિસથી થોડો વહેલો ઘરે આવ્યો.
ઘરમાં અજીબ શાંતિ હતી.
બાલ્કનીમાં રમાબા ખુરશીમાં ટેકો લગાવી બેઠી હતી. બા ના
હાથમાં ગીતા ખુલ્લી પડી હતી…
ચહેરા પર અદભૂત શાંતિ.
“મા…” સંજયે રમા બા ને પોકાર કરી બોલાવ્યા.
બાલ્કની થી કોઈ જવાબ ન આવ્યો.
તે બાની નજીક ગયો —
રમાબા આંખો રાખી શાંતિથી વિદાય લઈ ચુક્યા હતા.
સંજયનું હૃદય તૂટી ગયું.
પણ તે જ ક્ષણે તેની નજર ગીતા વચ્ચે મૂકેલા એક નાનકડા કાગળ પર પડી.
તેમાં લખ્યું હતું —
“સંજુ,
એ દિવસ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા લાવ્યો હતો,
એ દિવસ મને લાગ્યું કે કદાચ હવે, આં પરિવાર ને મારી જરૂર નથી.
પણ જ્યારે તું મને પાછો ઘરે લાવ્યો,
ત્યારે સમજાયું — તારા દિલમાં માં નો પ્રેમ જીવે છે.
હું હજુ પણ તારી ‘મા’ છું. મારી જીવન સંધ્યા ના છેલ્લા થોડા મહિના જીવનના સૌથી ખુશ મહિના હતા. તારું
ઘર મને સંજીવની આપી મોત સુધારી ગયું.
– તારી મા”
સંજય રડી પડ્યો —
દુખથી નહીં…
પણ આ શાંતિથી કે તેણે અંતિમ ક્ષણે સાચો નિર્ણય લીધો હતો.
હજુય સાંજે પરિવાર સમય ચાલુ છે .
દરેક સાંજે ખાલી ખુરશીહવે દીવાન ખંડ માં વચ્ચે રાખવામાં આવી.
કારણ કે હવે તેઓ સમજી ગયા હતા —
પરિવારનો કોઈ સભ્ય ક્યારેય સંપૂર્ણ રીતે જતો નથી.તેને યાદ રાખવાથી તેની સંસ્મૃતિ, સંસ્કાર અને પ્રેમ બનીને હંમેશા કુટુંબ ના સભ્ય માટે સંજીવની બની રહે છે.
અંતિમ સાર
પરિવાર એ સંજીવની છે —
પણ એ માટે ભોગ સમયસર આપવો પડે.
કારણ કે સમય રાહ નથી જોતો.
અને “પછી” ક્યારેક બહુ મોડું થઈ જાય છે.
