લહેર આવી પરંપરામાં
લહેર આવી પરંપરામાં
માતાપિતાને દુઃખી કરતા સંતાનો જીવનમાં કદી પણ સુખ પામતા નથી. જાણે અજાણે દુઃખી કર્યા હોય તો પણ એક અફસોસ તો રહેજ છે, એવીજ રીતે સંસ્કારી હોવા છતાં ઘણીવાર માતાપિતાને જણાવ્યાં વગર ધણા દિકરા દિકરીઓ પ્રેમલગ્ન કરી લે છે. જેથી માતાપિતા એમને જાકારો દે છે, પરંતુ પાછળથી તેમને અફસોસ પણ થાય છે. એ આવેલી તોફાની લહેરની ઝાંખી કરાવવાનો પ્રયાસ કર્યો છે.
આજે રાજેશના લગન હતા, પણ તે પોતાના લગ્નમાં માતાપિતા તરીકે વૃદ્ધાશ્રમમાંથી એક વૃદ્ધ દંપતિને પોતાના માતાપિતા બનાવીને ઘરે લઇ આવે છે. તેઓને જોઈને રાજેશના માતાપિતા ડઘાઈ જાય છે ! "અરે તમે" એમ કહી રડતાં રડતાં તમની તરફ દોડી આવે છે. "અમારી ભૂલ બદલ અમને માફ કરી દો".એમ કહી પગે લાગે છે.